ઘટના@થરાદ: ઘાસચારો ભરેલા ટ્રેક્ટરને વીજવાયર અડકતાં આગ, જાનહાનિ ટળી
અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)
કોરોના મહામારી વચ્ચે આજે થરાદ પંથકમાં રોડ ઉપર ટ્રેક્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે ઘાસચારો ભરેલા ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડકતાં આગ લાગી હતી. જેમાં સંપુર્ણ ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાને લઇ ફાયર ફાઇટર દ્રારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવી લેતાં મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, વીજ વાયર નીચા હોવાથી આજે ટ્રેક્ટરના ટ્રોલીમાં આગ લાગી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના થરાદના વડગામડા-મલુપુર રોડ ઉપર ઘાસચારો ભરેલા ટ્રેક્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘાસચારો ભરીને પસાર થતાં દરમ્યાન અચાનક વીજવાયર ઘાસને અડકતાં આગ લાગી હતી. જોતજોતામાં સમગ્ર ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. આ તરફ ફાયર ફાઇટરને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવી લેતાં જાનહાનિ ટળી હતી.