રીપોર્ટ@થાનગઢ: તાલુકાના ગામેગામ સ્વચ્છતા હી સેવાની મોટી અસર, ગ્રામજનોમાં વધી મિશનની જાગૃતિ

 
Thangadh

અટલ સમાચાર ડોટ કોમ, સુરેન્દ્રનગર

દેશભરમાં પ્રધાનમંત્રી દ્રારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા હી સેવાની લોકજાગૃતિ બાબતે મોટી અસર જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં એસબીએમ ટીમે સફાઇ અભિયાન હાથ ધરી સ્વચ્છતામાં જનભાગીદારી ઉભી કરી છે. વિજળીયા ગામમાં અનેક જાહેર સ્થળોએ તાલુકા અને ગામની ટીમે સફાઇ કરી હતી. આવી સ્થિતિમાં ગામમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ વધી અને તેનાથી સ્વાસ્થ્યને મોટા પ્રમાણમાં મદદ મળી હોવાનું પણ સામે આવ્યું છે. થાનગઢ તાલુકા એસબીએમ ટીમે જણાવ્યું હતું કે, સ્વચ્છતા હી સેવા અભિયાન ગામેગામ પહોંચી ગયું હોવાથી અભિયાનને આગળ વધવામાં મદદ મળી છે. જાણીએ સમગ્ર અહેવાલ.

Thangadh
જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ગત દિવસોમાં સ્વચ્છ ભારત મિશન શાખા દ્વારા મોટાપાયે સ્વચ્છતા હી સેવા અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગામેગામ સ્વચ્છતા થાય અને ખાસ લોકજાગૃતિ ઉભી થાય તે માટે ગામનાં જાહેર સ્થળોએ સફાઇ કરવામાં આવી હતી. આ દરમ્યાન વિજળીયા ગામે પણ એસબીએમ ટીમે મંદિર, ચોક, જાહેર જગ્યા સહિતના વિસ્તારોમાં ગામલોકોને સાથે રાખી સફાઇ કરવામાં આવી હતી. એસબીએમ ટીમના સુકાની ટીડીઓના માર્ગદર્શન હેઠળ વિજળીયા ગામે કરેલી સ્વચ્છતા હી સેવા કામગીરીથી ગ્રામજનોમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્યની જાગૃતિ વધી હોવાનું પણ સામે આવ્યું છે. સફાઇ કામગીરી દરમ્યાન ગામનાં અનેક લોકો મિશનની કામગીરી જોઈ સ્વયં ગામને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા આગ્રહી બન્યા છે.