આપઘાત@અમરેલી: BSCની 19 વર્ષીય વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
Updated: Nov 6, 2023, 11:02 IST

અટલ સમાચાર, ડેસ્ક
અમરેલીમાં BSC માઈક્રોબાયોલોજીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી અને LD હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. 19 વર્ષીય વિદ્યાર્થિનીએ હોસ્ટેલની રૂમમાં જ ચૂંદડી વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે આપઘાત કરનાર 19 વર્ષીય વિદ્યાર્થિનીનું નામ અર્ચના મેહુલભાઈ તલસાણીયા છે અને તે બોટાદની વતની હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થિનીએ પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.