ભેળસેળ@ઉંઝા: લોકોના આરોગ્ય બગાડી કમાણીનો કારસો જાહેર, નકલી જીરૂં બનાવતા ઝડપાયા

 
Unjha

અટલ સમાચાર, મહેસાણા

ઊંઝા ખાતેથી આશરે રૂપિયા પાંચ લાખનો બનાવટી જીરાનો 3360 કિલો જથ્થો જપ્ત કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. આ તરફ હવે તંત્ર દ્વારા નમૂનાઓ પૃથ્થકરણ માટે મોકલાયા છે. આ સાથે હવે તેનો અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. 

રાજયના ખોરાક ઔષધ નિયમનતંત્ર દ્વારા નાગરિકોને ગુણવત્તાયુકત આવશ્યક ચીજ વસ્તુઓ મળી રહે તે આશયથી તંત્ર દ્વારા નિયમીત રીતે દરોડા પાડવામાં આવે છે જેના ભાગરૂપે તંત્રને મળેલી બાતમીના આધારે ઊંઝા ખાતેથી આશરે રૂપિયા 5 લાખનો બનાવટી જીરાનો 3360 કિલો જથ્થો જપ્ત કરાયો છે. જપ્ત કરાયેલા નમૂનાઓ પૃથ્થકરણ માટે મોકલાયા અહેવાલ આવ્યેથી કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરાશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયા દ્વારા જણાવાયું છે.

Unjha

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, ઊંઝા ખાતે દાસજ રોડ ઉપર એક ગોડાઉનમાં બનાવટી જીરું નો જથ્થો સંગ્રહ કરવામાં આવેલ છે તેવી બાતમી મઅ હતી. જે આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા દરોડો પાડીને રૂબરૂ તપાસ કરી હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થળ ઉપર મંગલમૂર્તિ ગોડાઉનમાં જય દશરથભાઈ પટેલ નામના વ્યકિત પાસેથી બનાવટી જીરુંનો 48 બોરીમાં 3360 કિલોગ્રામનો જથ્થો મળી આવતા તે જથ્થો જપ્ત કરાયો છે. ફૂડ સેફ્ટી ઓફિસર એસ.બી.પટેલલે આ બનાવટી જીરુનો નમુનો લઈ જરૂરી પૃથ્થકરણ માટે ખોરાક વિભાગની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. આ નમૂનાનો પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયાએ ઉમેર્યું હતું.