બ્રેકિંગ@ઝાલોદ: માર્કેટયાર્ડમાં ગેરરીતિની તપાસમાં મોટો ખુલાસો, કડક કાર્યવાહી થાય તેવો રીપોર્ટ તૈયાર

તત્કાલીન વાઇસ ચેરમેનના આક્ષેપોને ક્યાંક સમર્થન મળ્યું હોવાનો ઘટસ્ફોટ 
 
Zalod

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પ્લોટ ફાળવણી સહિતના મુદ્દે અગાઉ થયેલી રજૂઆત બાદ મોટો ખુલાસો સામે આવ્યો છે. તત્કાલીન વાઇસ ચેરમેને કરેલા લાખો કરોડોના કૌભાંડના આક્ષેપો બાદ તપાસ પૂર્ણ થઈ છે. દાહોદ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા થયેલી તપાસમાં ચોંકાવનારી હકીકતો શોધી લેવાઇ છે. તપાસ રિપોર્ટ ફાઈલે થાય કે કાર્યવાહી તેનાં બાબતે અધિકારીએ જણાવ્યું કે, રજૂઆત/આક્ષેપને થોડું સમર્થન મળે છે એટલે હવે કાર્યવાહી ગાંધીનગર સ્થિત નિયામક દ્વારા થશે. આટલુ જ નહિ, તપાસ રીપોર્ટ સબમિટ થઈ ગયેલ હોઈ રજીસ્ટાર અથવા નિયામક અહેવાલ મુજબ જોગવાઈ મુજબ ટૂંક સમયમાં આદેશ કરે તો નવાઇ નહિ. વાંચો સમગ્ર અહેવાલ

દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકા એપીએમસીમાં કેટલાક મહિના અગાઉ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા હતા. આ આક્ષેપો બીજા કોઈ નહિ પરંતુ તત્કાલીન વાઇસ ચેરમેને કર્યા હતા અને તપાસની માંગ કરી હતી. તત્કાલીન વાઇસ ચેરમેને લેખિતમાં દાહોદ જિલ્લા સહકારી રજીસ્ટાર કચેરીને વારંવાર રજૂઆતો કરતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ કમિટીએ આખરે ખૂબ જ ટૂંકા ગાળામાં રજૂઆતમાં દર્શાવેલ મુદ્દા જેમા ખાસ કરીને એપીએમસીમાં પ્લોટ ફાળવણી બાબતે કથિત ભ્રષ્ટાચાર મુખ્ય હતો. આ સિવાયના પણ મુદ્દે ધોરણસરની તપાસ કરીને રિપોર્ટ આખરે જિલ્લા રજીસ્ટ્રાર અને નિયામકને સુપ્રત કરવામાં આવ્યો છે. તપાસમાં અનિયમિતતા અથવા આક્ષેપ થયા હતા તેને કોઈ સમર્થન મળે છે કે કેમ! તે બાબતે કચેરીના સહકારી અધિકારીએ જણાવ્યું કે, આક્ષેપોને ક્યાંક સમર્થન મળે છે અને હવે જે કોઈ નિર્ણય લેવાશે તે રજીસ્ટાર તેમજ નિયામક દ્વારા થશે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તત્કાલીન વાઇસ ચેરમેનની ભ્રષ્ટાચાર હટાવોની મહેનત ક્યાંક રંગ લાવી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. તપાસ રીપોર્ટ એવો છે કે, સાવ એમ જ ફાઇલે થાય તેમ નથી, સહકારી જોગવાઇ મુજબ કંઈક કાર્યવાહી સંભવ છે ત્યારે ભ્રષ્ટાચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં કોઈપણ બાહુબલી બચી શક્યા નથી તો ઝાલોદ તાલુકા સહકારી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પણ જો કોઈ નાનો મોટો ભ્રષ્ટાચાર થયો હશે અથવા કોઈ બેદરકારી કે અનિયમિતા થઈ હશે તો દાદાની સરકાર ચલાવી લેશે નહિ તે સૌ કોઈ જાણે છે.