રિપોર્ટ@ગુજરાતઃ ગત 24 કલાકમાં 511 કેસ નોંધાયા, 29 લોકોના મોત

અટલ સમાચાર, મહેસાણા ગુજરાતમાં આજે 511 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 442 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,88,565 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 29 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં અમદાવાદનાં જ 22 નાગરિકોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરતમાં 4, અરવલ્લી,
 
રિપોર્ટ@ગુજરાતઃ ગત 24 કલાકમાં 511 કેસ નોંધાયા, 29 લોકોના મોત

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાતમાં આજે 511 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 442 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,88,565 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 29 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં અમદાવાદનાં જ 22 નાગરિકોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરતમાં 4, અરવલ્લી, મહેસાણા અને પંચમહાલનાં 1-1 દર્દીના મોત નિપજ્યા હતા. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 1478 પર પહોંચ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાં આજે 2,14,885 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,08,666 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 6219 લોકોને પ્રાઇવેટ અથવા સરકારી ફેસિલીટીમાં રાખવામાં આવેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0ને કારણે રાજ્યમાં પરિવહન ધીમે ધીમે પૂર્વવત થઇ રહ્યું છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસની જિલ્લા વાર વિગત અનુસાર અમદાવાદમાં જ 334 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 76, વડોદરામાં 42, સુરેન્દ્રનગરમાં 9, ગાંધીનગરમાં 8, અરવલ્લીમાં 6, ભરૂચમાં 6, ભાવનગરમાં 3, મહીસાગરમાં 3, આણંદમાં 3, અમરેલીમાં 3, મહેસાણામાં 2, સાબરકાંઠામાં 2, પાટણમાં 2, ખેડામાં 2, બનાસકાંઠામાં 1, રાજકોટમાં 1, પંચમહાલમાં 1, બોટાદમાં 1, નર્મદામાં 1 અને અન્ય રાજ્યનાં 5 થઇને કુલ 511 દર્દીઓ થયા હતા.