રીપોર્ટ@ગુજરાત: કાલે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે એટલે કે 17 જુલાઈના રોજ ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે મુકવામાં આવશે. આ વખતે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાઇ હતી પ્રમોશનના સ્થાને વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્યાન આપેલી પરીક્ષા અને ધોરણ 11 ની પરીક્ષા ના આધારે પરિણામ તૈયાર કરાયું છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે કે , રાજ્ય સરકારે ધો .12 વિજ્ઞાન પ્રવાહના વર્ષ 2021 ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગના તા : -19/06/2021 ના ઠરાવ ક્રમાંક : -મશબ / 1221 / 741 /6 થી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરેલ હતી. આ ઠરાવ અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના જાહેર કરેલ નીતિ મુજબના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરેલ હતા . જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવેલ છે .
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org આવતીકાલે તા.17 જુલાઈ ના રોજ સવારના 8:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. શાળાઓ તેઓની શાળાનું પરિણામ શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કરી ડાઉનલોડ કરી શકશે તથા જોઇ શકશે. શાળાએ વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ આપવાની રહેશે અને તેના પરિણામની જાણ કરવાની રહેશે.