નિર્ણયઃ વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓમાં રાજ્ય સરકારે સહાયના દરોમા નોંધપાત્ર સુધારો કર્યો

1 લાખની સહાય અપાશે. 60 ટકાથી વધુ અપંગતા હોય તો રૂપિયા 2 લાખ અને 3 દિવસ અથવા તેથી વધુ સમય ઇજા પામેલી વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ રહે તો પહેલાં સહાય આપવામાં આવતી નહોતી, એને બદલે હવે રૂપિયા 10,000ની સહાય ચૂકવાશે.
 
file fhoto

અટલ સમાચાર,ડેસ્ક

 

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, વન્યપ્રાણીઓના હુમલાથી માનવમૃત્યુ-ઈજા તથા પશુમૃત્યુના પ્રસંગોએ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના નવા દરમાં વધારો કરવામાં આવ્યો છે. માનવમૃત્યુના કિસ્સામાં પ્રત્યેક વ્યક્તિદીઠ પહેલાં રૂપિયા 4 લાખની સહાય અપાતી હતી, એને વધારીને હવે રૂ.5 લાખની સહાય ચૂકવાશે. એ જ રીતે માનવને ઇજા સંદર્ભે 40 ટકાથી 60 ટકા, અપંગતા હોય તેવા કિસ્સામાં રૂપિયા 59,100ને બદલે હવે રૂ. 1 લાખની સહાય અપાશે. 60 ટકાથી વધુ અપંગતા હોય તો રૂપિયા 2 લાખ અને 3 દિવસ અથવા તેથી વધુ સમય ઇજા પામેલી વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ રહે તો પહેલાં સહાય આપવામાં આવતી નહોતી, એને બદલે હવે રૂપિયા 10,000ની સહાય ચૂકવાશે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આ ઉપરાંત દૂધાળાં પશુઓ માટે પણ પ્રત્યેક પશુદીઠ મૃત્યુ સહાયના નવા દરો નિયત કરાયા છે, જે અંતર્ગત ગાય-ભેંસ માટે રૂપિયા 30 હજારને બદલે હવે રૂ. 50 હજાર, ઊંટ માટે રૂપિયા 30 હજારને બદલે રૂ.40 હજાર, ઘેટાં-બકરાં માટે રૂપિયા 3 હજારને બદલે રૂપિયા 5 હજારની સહાય તથા બિનદૂધાળાં પશુઓમાં ઊંટ ઘોડા-બળદ માટે રૂપિયા 25 હજાર તથા રેલ્લો (પાડો-પાડી), ગાયની વાછરડી- ગધેડો-પોની વગેરે માટે રૂપિયા 16 હજારને બદલે રૂપિયા 20 હજારની સહાય ચૂકવાશે.

સિંહ, વાઘ, રીંછ, મગર સહિતનાં પ્રાણીઓના હુમલામાં વળતર ચૂકવાશે આ નવા દરોનો અમલ તા.5મી જાન્યુઆરીથી કરાશે અને આ ઠરાવ બહાર પાડતાં પહેલાંના બનાવોમાં જો કોઇ વળતર ચૂકવવાનું બાકી હોય તો તે જે-તે સમયના પ્રવર્તમાન ઠરાવોના દર મુજબ ચૂકવવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972માં દર્શાવેલી વન્યપ્રાણીની વ્યાખ્યામાં સમાવેશ થતાં વન્યપ્રાણીઓ, જેવા કે સિંહ, વાઘ, દીપડા, રીંછ, મગર, વરુ, જરખ અને જંગલી ભૂંડ દ્વારા માનવમૃત્યુ અથવા ઇજા તથા પશુમૃત્યુ થયેલા હોય તેવા કિસ્સામાં આ વળતર ચૂકવવાનું રહેશે.