ચકચાર@હારીજ: કેનાલમાંથી પ્રેમીપંખીડાની લાશ મળી, પોલીસ તપાસ શરૂ

અટલ સમાચાર, હારીજ કોરોના મહામારી વચ્ચે આજે બપોરના સમયે હારીજ પંથકની કેનાલમાંથી પ્રેમીપંખીડાની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાને લઇ હારીજ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તરવૈયાઓ દ્રારા મૃતકોની લાશને બહાર નીકાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
 
ચકચાર@હારીજ: કેનાલમાંથી પ્રેમીપંખીડાની લાશ મળી, પોલીસ તપાસ શરૂ

અટલ સમાચાર, હારીજ

કોરોના મહામારી વચ્ચે આજે બપોરના સમયે હારીજ પંથકની કેનાલમાંથી પ્રેમીપંખીડાની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાને લઇ હારીજ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તરવૈયાઓ દ્રારા મૃતકોની લાશને બહાર નીકાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચકચાર@હારીજ: કેનાલમાંથી પ્રેમીપંખીડાની લાશ મળી, પોલીસ તપાસ શરૂ

પાટણ જીલ્લાના હારીજની પીપલાણા કેનાલમાંથી પ્રેમીપંખીડાની લાશ મળી આવી છે. આજે બપોરના સમયે કોઇ રાહદારી કેનાલ નજીકથી પસાર થતાં દરમ્યાન યુવક-યુવતિની લાશ જોતાં ચોંકી ઉઠ્યા હતા. જે બાદમાં તેમને પોલીસને જાણ કરતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતકોની લાશને બહાર નીકાળી હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપ્યા હતા. આ તરફ પોલીસે મૃતકોની ઓળખ કરવા અને કયા કારણોસર આવુ પગલું ભર્યુ તે બાબતે તપાસ તેજ કરી છે.