જાણો@અમદાવાદ: એરપોર્ટ દ્વારા દિવાળીને લઈ એડવાઇઝરી જાહેર, મુસાફરો માટે મોટા સમાચાર

 
Airport

અટલ સમાચાર, ડેસ્ક

દિવાળીની રજાઓમાં ફ્લાઇટ દ્વારા બહાર જવાનું આયોજન કરી રહ્યા હોવ તો ફ્લાઇટના સમય કરતાં બે કલાક કરતાં વહેલા અમદાવાદ એરપોર્ટ પહોંચવું હિતાવહ રહેશે. મુસાફરોને ફ્લાઇટના સમય કરતાં વહેલા પહોંચવાની એડવાઇઝરી અમદાવાદ એરપોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.

Unjha APMC
દિવાળી શુભેચ્છા જાહેરાત

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સામાન્ય દિવસોમાં સરેરાશ 30 હજાર જેટલા મુસાફરોની અવર-જવર નોંધાતી હોય છે. દિવાળીની રજાઓ અને 19 નવેમ્બરના અમદાવાદ ખાતે વર્લ્ડકપ ફાઇનલને પગલે દૈનિક મુસાફરોનો આંક 35 હજારથી પણ વધી જાય તેવી સંભાવના છે. લાંબી લાઇનને કારણે મુસાફરોને ચેક ઇનમાં સમસ્યા નડે નહીં માટે સમય કરતાં વહેલા પહોંચવા માટે આ પ્રકારની એડવાઇઝરી જાહેર કરાઇ છે.

Dindyal
દિવાળી શુભેચ્છા જાહેરાત

અમદાવાદ એરપોર્ટે આ એડવાઇઝરીમાં કહ્યું છે કે, ‘તહેવારો અને વર્લ્ડકપ ફાઇનલને પગલે એરપોર્ટમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી શકે છે. જેના પગલે મુસાફરો સિક્યુરિટી સહિતની ઔપચારિકતા સરળતાથી પૂર્ણ કરી શકે માટે ફ્લાઇટના સમયથી વહેલા આવવા અનુરોધ છે.’