આગાહી@ગુજરાત: અંબાલાલ પટેલે કહ્યું આ તારીખો દરમ્યાન આંધી-વંટોળ-ગરમી સાથે વરસાદની શક્યતા
![Ambalal Patel](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/35fa565374d7e0ee46aa4d040a6d1ed4.jpg)
અટલ સમાચાર, ડેસ્ક
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એપ્રિલમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, તેમણે 3 એપ્રિલથી ઉનાળાની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, તારીખ 3-8 અને 10 દરમિયાન ગુજરાતમાં વાદળો ફરી આવવાની શક્યતા છે. 14 તારીખ સુધીમાં પુનઃ આંધી, વંટોળ અને ગરમી સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. કરા પડવાની પણ શક્યતા છે.
![Jaherat](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded_original/6fd83e3bc95209038fa502f326710db2.jpg)
અંબાલાલ પટેલે અખાત્રીજ વખતે પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરીને જણાવ્યું છે કે, આ પલટાઓ છે તે ચાલુ જ રહેશે. મે મહિનામાં 8મીએ આંધી-વંટોળ આવશે, જેનાથી બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે. આમ છતાં આ વખતે ગરમી વધારે પડવાની સંભાવના અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. અંબાલાલ પટેલે કેરીના પાક પર પણ હવામાનની અસર થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે આંધી-વંટોળના કારણે કેરીના પાકને વધુ નુકસાન થવાની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેરીના પાક પર આ વખતે માઠી અસર થવાની શક્યતાઓ રહેલી છે.