બ્રેકિંગ@ગુજરાત: આત્મનિર્ભર લોનને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન

અટલ સમાચાર,ડેસ્ક હાલ રાજ્યમાં આત્મનિર્ભર લોનનાં ફોર્મ લેવા માટે લોકો બેંકો બહાર લાંબી લાઈનો લગાવી રહ્યા છે. આકરી ગરમીમાં પણ 1 લાખ રૂપિયાની લોનનાં ફોર્મ લેવા માટે લોકો તડકામાં કલાકો સુધી રહે છે. તેવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આત્મનિર્ભર ફોર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે, આત્મનિર્ભર યોજનામાં બધાને લોન નહીં
 
બ્રેકિંગ@ગુજરાત: આત્મનિર્ભર લોનને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન

અટલ સમાચાર,ડેસ્ક

હાલ રાજ્યમાં આત્મનિર્ભર લોનનાં ફોર્મ લેવા માટે લોકો બેંકો બહાર લાંબી લાઈનો લગાવી રહ્યા છે. આકરી ગરમીમાં પણ 1 લાખ રૂપિયાની લોનનાં ફોર્મ લેવા માટે લોકો તડકામાં કલાકો સુધી રહે છે. તેવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આત્મનિર્ભર ફોર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે, આત્મનિર્ભર યોજનામાં બધાને લોન નહીં મળે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, આત્મનિર્ભર યોજનામાં બધાને લોન નહીં મળે. લોન માટે બેંકને બે જામીન આપવા પડશે. બેંકને પણ પોતાના પૈસાની ચિંતા હોય. તારણ કોઈએ નથી આપવાનું એવી જાહેરાત છે. રાજ્ય સરકાર આર્થિક સંકડામણમાં છે તેવું પણ નીતિન પટેલે જણાવ્યું હતું. અને લોકડાઉનમાં છૂટછાટ એ કેલ્ક્યુલેટિવ રિસ્ક હોવાનું નીતિન પટેલ કહ્યું હતું.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લોકડાઉનના સમયમાં નાનાં દુકાનદારો અને ધંધાર્થીઓ ફરીથી બેઠાં થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના લાગુ કરવામાં આવી છે. જેમાં જરૂરિયાતમંદોને 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વ્યાજે આપવામાં આવશે. અને 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે. તેવામાં આ લોન લેવા માટે લોકોએ બેંકો બહાર પડાપડી કરી મુકી હતી. પણ આ વચ્ચે જ નીતિન પટેલે જે નિવેદન આપ્યું છે તેનાથી લોન લેવા માટે ઈચ્છુક લોકોને ધ્રાસ્કો લાગી શકે છે.