સ્પેશ્યલ@દેશ: આજે પંડીત દિનદયાળ ઉપાધ્યાયની 105મી જન્મજયંતિ, દિગ્ગજોએ ટ્વિટ કરી યાદ કર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશભરમાં આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય 105મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીથી લઇ તમામ દિગ્ગજોએ તેમને નમન કર્યા છે. દીનદયાળનો જન્મ આ દિવસે એટલે કે 25 સપ્ટેમ્બર 1916 ના રોજ યુપીના મથુરામાં થયો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ‘અભિન્ન માનવ દર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર સલામ. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિચારો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે.
एकात्म मानव दर्शन के प्रणेता पंडित दीनदयाल उपाध्याय जी को उनकी जयंती पर शत-शत नमन। उन्होंने राष्ट्र निर्माण में अपना जीवन समर्पित कर दिया। उनके विचार देशवासियों को सदैव प्रेरित करते रहेंगे।
— Narendra Modi (@narendramodi) September 25, 2021
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં મણિનગર ખાતે પંડિત દિનદયાળની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ અવસરે અમદાવાદના મેયર કિરીટ પરમાર મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ,મ્યુનીસીપલ કાઉન્સિલરો અને અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા,ભારતીય જનસંઘના સ્થાપક સદસ્ય શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ની જન્મતિથિ નિમિત્તે તેઓની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યું હતું.આ અવસરે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર,મણિનગરના ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ, pic.twitter.com/CWm8oxnNDa
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 25, 2021
આ સાથે ગૃહમંત્રીએ ટ્વિટર પર એક વીડિયો શેર કરીને પંડિત જીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું કે, ‘દૂરંદેશી રાજકારણી પં. દીનદયાલ ઉપાધ્યાય જીએ સમયાંતરે વિવિધ પડકારો અને સમસ્યાઓના ઉકેલ માટે પોતાના વિચારો અને ફિલસૂફીથી દેશને માર્ગદર્શન આપ્યું. પંડિત જીનો અભિન્ન માનવતાવાદ અને અંત્યોદયનો મંત્ર હંમેશા જનકલ્યાણ અને રાષ્ટ્રની સેવા માટે આપણને પ્રેરણા આપશે.
दूरदर्शी राजनीतिज्ञ पं. दीनदयाल उपाध्याय जी ने समय समय पर विभिन्न चुनौतियों व समस्याओं के निराकरण के लिए अपने विचार-दर्शन से देश का मार्गदर्शन किया।
पंडित जी के एकात्म मानववाद व अंत्योदय के मंत्र सदैव हमें जनकल्याण व राष्ट्रसेवा के लिए प्रेरित करते रहेंगे।
उन्हें कोटिशः नमन। pic.twitter.com/yToiNWs6hl
— Amit Shah (@AmitShah) September 25, 2021
આ તરફ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લખ્યું, ‘અખંડ માનવતાવાદ જેવા પ્રગતિશીલ આર્થિક વિચારના પ્રણેતા અને અંત્યોદય માટે જીવનભર કામ કરનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર ઘણી શ્રદ્ધાંજલિ. તેમની સેવા અને સમર્પણનો મંત્ર આપણને પ્રેરણા આપે છે. તેમના વિચારો અને દર્શન ભારતની આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.