દુર્ઘટના@ગાંધીનગરઃ ફેક્ટરીમાં વીજકરંટ લાગતા 5 શ્રમિકોના ઘટનાસ્થળે મોત
અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે અને દુર્ઘટનાઓ સામે આવી રહી છે. ગાંધીનગર જિલ્લાના સાંતેજ-વડસર રોડ પર આવેલા મિલન એસ્ટેટમાં નવી બની રહેલી ફેક્ટરીમાં શ્રમિકો શેડ બની રહ્યા હતા. જે દરમિયાન આઠ શ્રમિકો લોખંડની સીડી ઉંચકીને લઇ જઇ રહ્યા હતા આ દરમિયાન ઉપરથી પસાર થતા હાઇટેન્શન વીજવાયરને અડી જતાં દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 5
Sep 9, 2020, 10:10 IST
અટલ સમાચાર, ડેસ્ક
કોરોના સંકટ વચ્ચે અને દુર્ઘટનાઓ સામે આવી રહી છે. ગાંધીનગર જિલ્લાના સાંતેજ-વડસર રોડ પર આવેલા મિલન એસ્ટેટમાં નવી બની રહેલી ફેક્ટરીમાં શ્રમિકો શેડ બની રહ્યા હતા. જે દરમિયાન આઠ શ્રમિકો લોખંડની સીડી ઉંચકીને લઇ જઇ રહ્યા હતા આ દરમિયાન ઉપરથી પસાર થતા હાઇટેન્શન વીજવાયરને અડી જતાં દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 5 શ્રમિકોના ઘટનાસ્થળે મોત થયા. મૃતકોમાં ચાર મજૂરો અમદાવાદના રહેવાસી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આ દુર્ઘટનામાં અમદાવાદમાં રહેતા કાર્તિક બીસે ,મહેશ વશરામભાઈ ફુલેરા, ભાવુજી ઠાકોર, પંકજ હિંમતભાઈ વાલીયા અને ઝારખંડના બજરંગીરાય નારાયણરાયના મોત થયા છે.