બેચરાજીઃ શંખલપુરનો બિસ્માર રોડ જલ્દી રિ-ફ્રેશ કરવામાં નહીં આવે તો ઉપવાસ પર ઉતરીશું-MLA ભરતજી ઠાકોર

બેચરાજી શંખલપુર રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા હતા. ત્યારે નજીવા વરસાદ પડવાના કારણે રોડ પર પડેલા ખાડાઓ પર પાણી ભરીયા ગયા છે. ત્યારે સમગ્ર રોડ સ્વિંમિંગ પુલમાં ફેરવાઈ ગયો છે.
 
બેચરાજી

અટલ સમાચાર, ડેસ્ક


 વિકાસ પામેલા ગામોના માર્ગના ઠેકાણા નથી ત્યારે અહીંયા દર્શન કરવા આવતા દર્શનરથી આવા તૂટેલા રોડથી તોબા પોકારી ઉઠ્યા છે. બેચરાજી શંખલપુર એ યાત્રાધામ તરીકે વિખ્યાત છે. ત્યારે તાજેતરમાં શંખલપુર ગામને આધુનિક ગામનો દરજ્જો મળ્યો છે, ત્યારે આવા વિકાસ પામેલા ગામોના માર્ગના ઠેકાણા નથી ત્યારે અહીંયા દર્શન કરવા આવતા દર્શનરથી આવા તૂટેલા રોડથી તોબા પોકારી ઉઠ્યા છે.

મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી ખાતે યાત્રાધામ શંખલપુર જવાનો માર્ગ નજીવા વરસાદમાં પણ બિસ્માર બની ગયો છે.   આજે સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્યએ શંખલપુર બેચરાજી રોડ જે બિસમાર છે તેને ઠીક કરવા જાણ કરી છે. તેમજ ઝડપી કામ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. આ માર્ગ 20 જેટલા ગામોને જોડતા માર્ગ છે, ત્યારે આજે બેચરાજીના કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરે જણાવ્યું છે કે, 10 દિવસમાં આ માર્ગ રિ-ફ્રેશ કરવામાં નહીં આવેતો 20 ગામના લોકોને સાથે રાખીને ઉપવાસ આંદોલન કરવામાં આવશે. 

બેચરાજી શંખલપુર રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા હતા. ત્યારે નજીવા વરસાદ પડવાના કારણે રોડ પર પડેલા ખાડાઓ પર પાણી ભરીયા ગયા છે. ત્યારે સમગ્ર રોડ સ્વિંમિંગ પુલમાં ફેરવાઈ ગયો છે. બેચરાજીમાં પડેલા વરસાદને કારણે શંખલપુર રોડ પર પડેલા ખાડાના કારણે પાણી ભરાઈ ગયા હતા. જેને લઇ અવરજવર કરતા રાહદારીઓ અને દર્શનાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે આ સમસ્યા લાંબા સમયથી યથાવત રહી છે. ત્યારે યાત્રાધામ હોવા છતાં તંત્ર માર્ગનો ઉકેલ ન લાવતા સ્થાનિક ધારાસભ્યએ હવે આંદોલનની પણ ચીમકી આપી છે.