દેશપ્રેમ@મહેસાણા: પોલીસ સંભારણા દિવસે SP અને જિલ્લા પોલીસે શહીદ થયેલ અધિકારી-કર્મચારીઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

 
Mehsana-00

અટલ સમાચાર, મહેસાણા 

21 ઓકટોબર એટલે પોલીસ સંભારણા દિવસ તરીકે ઓળખાય છે. આજે  શહીદ થયેલ અધિકારી અને કર્મચારી ઓને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવેલ છે. જેને લઈ આજે મહેસાણા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી તથા તમામ અધિકારી/કર્મચારીઓએ શહીદ થયેલ તમામ અધિકારી/કર્મચારી ઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. 

વર્ષ ૧૯૫૯માં ચીની સૈનિકોએ ભારતીય ઓફિસર સહિત ૧૩ જવાનોને બંધક બનાવી તેમને અસહ્ય યાતના આપ્યા બાદ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂના જન્મદિવસે જવાનોને ભારત-ચીન સીમા પર પરત મોકલી દીધા હતા. આ ઘટનાની તેમજ દેશ માટે વીરગતિ પામેલા અન્ય જવાનોની યાદમાં ૨૧મી ઓક્ટોબરના રોજ પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

21 ઓક્ટોબરે શું થયું હતું ?

સપ્ટેમ્બર ૧૯૫૯માં હોસ્પ્રિંગ્સ વિસ્તારમાં સીમાને બચાવવા માટે સેનાબળની ચોકીઓ ઉભી કરવાની આવશ્યકતા જણાઈ હતી. જે માટે આઈટીબીપી અને સીઆરપીએફની કંપનીને જવાબદારી સોંપાઈ હતી. ડીએસપી કરમસિંઘ અને એસ.પી.ત્યાગીની આગેવાની હેઠળ ૪૦ જવાનોની ટૂકડી બનાવાઈ હતી.

mehsana

આ ટૂકડી ૧૯ ઓક્ટોબરના રોજ નિર્ધારીત સ્થળે પહોંચી હતી. સમુદ્ર સપાટીથી ૧૬ હજાર ફીટની ઉંચાઈ પર ચીની સૈન્ય પર નજર રાખવા વિષમ આબોહવા, હિમપાત, વાવાઝોડુ, પુષ્કળ ઠંડી, ઓક્સિજનની ઓછી માત્રા, નીચા તાપમાનને કારણે ખોરાક પકવવા અને પાણી ગરમ કરવા સહિતના અસામાન્ય સંજોગો વચ્ચે ચોકીઓ ઉભી કરવાનું મુશ્કેલ કાર્ય હતું. તેમ છતાં ભારતીય જવાનો અસ્થાયી કેમ્પ ઉભો કરવામાં સફળ રહ્યા હતા.

ત્યારબાદ ૨૦મી ઓક્ટોબરના રોજ ચીની સૈનિકોની ગતિવિધિ પર નજર રાખવા ત્રણ પોલીસ જવાનની ટૂકડી રવાના કરાઈ હતી. પરંતુ આ ટૂકડી પરત ન આવતા તેમને શોધવા અન્ય ૧૦ પોલીસ જવાનો નીકળ્યા હતા. જો કે, રાત સુધીની શોધખોળના અંતે તેમને પણ નિષ્ફળતા મળી હતી. દરમિયાનમાં ચીની સૈનિકોની હાજરી હોવાનું માલુમ થયું હતું. જ્યારે બીજા દિવસે ગુમ પોલીસ જવાનોને શોઘવા ૨૧મી ઓક્ટોબરે સવારે ૭ વાગે કરમસિંઘ અને ત્યાગી અલગ-અલગ ટૂકડી બનાવી ખચ્ચર પર નીકળ્યા હતા.

mehsana

ડીએસપી કરમસિંઘની ટૂકડી પગના નિશાનને અનુસરતી છેક ચાંગચેનાંગ નદીના કિનારે પહોંચી હતી. ત્યાં ચાઈનીઝ દળોએ મોર્ટારમોરા અને મશીનગનથી હુમલો કરતા ૧૦ જવાનો શહીદ થયા હતા. જ્યારે કરમસિંઘ અને અન્ય ૯ જવાનોને બંધક બનાવી શારીરિક-માનસિક ત્રાસ ગુજારી પૂછતાછ કરી તેમને માત્ર સૂકુ અને ઓછુ ભોજન અને ઠંડુ પાણી અપાતું હતું. દાક્તરી સારવારની વિનંતી પણ સ્વીકારાઈ ન હતી. આ યાતનાઓ ૭ નવેમ્બર ૧૯૫૯ સુધી ચાલી હતી.

mehsan sp

ત્યારબાદ ભારતીય જવાનોને ચાંગચેનાંગ નદી કિનારે લાવે સમગ્ર ઘટનાનું ફોટોગ્રાફી સાથે રિહર્સલ કરાવી કારાકોરમ પહાડી ઉપર અતિશય ઠંડીમાં ખુલ્લી જગ્યા પર બેસાડી દેવામાં આવ્યા હતા અને બાદમાં ૧૪મી નવેમ્બરે કરમસિંઘના જીવીત સાથી અને ૨૦ ઓક્ટોબરના રોજ ગુજ થયેલા ૩ જવાનો મળી ૧૩ બહાદુર પોલીસ જવાનોને ભારત-ચીન સીમા પર પાછા મોકલી દેવામાં આવ્યા હતા.