ચકચાર@ગુજરાત: કેમીકલયુક્ત પાણી પીતા 20થી વધુ ઊંટના મોત, પશુપાલકને લાખોનું નુકસાન

અટલ સમાચાર, ડેસ્ક
ભરૂચ જિલ્લામાં એક સાથે 25 જેટલાં ઊંટ મોત થતા હડકંપ મચી ગયો છે. આ તરફ ઊંટોનાં મોત થતાં પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો. એક બાદ એક અચાનક ટપો-ટપ ઊંટોનું મોત થતાં પશુપાલકને લાખોનું નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ કેમિકલયુક્ત પાણી પીવાના કારણે ઊંટના મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે 25 જેટલાં ઊંટ મોત થયા છે. એક સાથે 25 જેટલાં ઊંટના મોત બાદ પશુપાલકે આ મામલે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે, પર્યાવરણનાં દુશ્મન કેટલાક જવાબદાર તત્વોનાં કારણે આ પ્રકારે ઘટનાઓ બનતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું છે કે, પશુપાલકે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. આ તરફ તંત્રના નીતિ નિયમોને નેવે મૂકી દરિયાઈ વિસ્તાર તેમજ આસપાસમાં પસાર થતી કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનું પાણ ચર્ચાઇ રહ્યું છે. જે બાદ પશુ પક્ષીઓ અને જળચર પ્રાણીઓ આ પ્રકારના કેમિકલયુક્ત પાણીના કારણે મોતને ભેટી જતા હોય છે. હાલ એક સાથે 20 થી વધુ ઊંટ નૉ મામલો સામે આવ્યા બાદ પશુ પાલકોએ મામલે તંત્રમાં જાણ કરવાની તજવીજ હાથધરી છે.