કૃષિજગત@સાબરકાંઠા: જિલ્લામાં 27 હજાર હેક્ટર કરતાં વધુ બટાકાનુ વાવેતર કરાયું

 
Sabarakantha Potato Farming

અટલ સમાચાર, ડેસ્ક

આ વખતે ઉત્તર ગુજરાતમાં બટાકાનું વાવેતર સારા પ્રમાણે થયું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં 27 હજાર હેક્ટર કરતા વધું બટાકાનું વાવેતર કરવામાં આવ્યુ છે. એમાય મોટા ભાગના ખેડુતોએ કોન્ટ્રાક્ટ ફાર્મીંગ દ્રારા ખેતી કરી રહ્યા છે. બટાકાની ખેતી પાછળ 1 વીઘા દીઠ 50 થી ૫૫ હજારનો ખર્ચ થાય છે. હાલની પરિસ્થિતિ એવી બની છે કે બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે. જેને લઈને બટાકાના પાન બગડી ગયા છે અને ખેતર જાણે કે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તે ઉપરાંત મુડિયા પણ કોવાઈ ગયા છે.

સાબરકાંઠાના હડીયોલ ગામમાં 70 ટકાથી વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યુ છે. ત્યારે મોટા ભાગના ખેતરોમાં સુકારા રોગ જોવા મળ્યો છે. જેને લઈને ખેડુતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આમ તો ગત સિઝને 500 મણનું ઉત્પાદન થતું હતું. ખેડૂતોનું માનવું છે કે સવારમાં સતત વાદળ છાયા વાતાવરણ અને બટાકાના પાન ઝાકળ પડવાને કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. બટાકાની ખેતીમાં વાવેતરના ખર્ચ ઉપરાંત 20 થી 25 હજારની દવાઓનો છંટકાવ કરવા છતા પણ આ સુકારાનો નિવેળો આવ્યો નથી. ત્યારે હાલમાં ખેડૂતો સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે આર્થિક રીતે તેમને મદદ કરવામાં આવે.