ઉત્તર ગુજરાત: સવારથી વાતાવરણમાં પલટો આવવાથી જગતનો તાત ચિંતામાં
અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર) બુધવારે વહેલી સવારથી અચાનક ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા,મહેસણા,પાટણ જીલ્લા સહીતના અનેક તાલુકાના વાતાવરણમા પલટો જોવા મળ્યો હતો. તેમજ અનેક વિસ્તારમા અમી છાંટા થયા હતા. ત્યારે જગતના તાત ગણાતા ખેઙુત ઉપર પઙ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઇ છે. હાલમા વાત કરવામા આવે તો ખેતીમાં મહત્વનો પક ગણાતો જીરૂ છે. ખેડુતો ને જીરાને ઉખેડવાનુ કામ
Mar 13, 2019, 17:04 IST

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)
બુધવારે વહેલી સવારથી અચાનક ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા,મહેસણા,પાટણ જીલ્લા સહીતના અનેક તાલુકાના વાતાવરણમા પલટો જોવા મળ્યો હતો. તેમજ અનેક વિસ્તારમા અમી છાંટા થયા હતા. ત્યારે જગતના તાત ગણાતા ખેઙુત ઉપર પઙ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઇ છે. હાલમા વાત કરવામા આવે તો ખેતીમાં મહત્વનો પક ગણાતો જીરૂ છે. ખેડુતો ને જીરાને ઉખેડવાનુ કામ ચાલુ છે ત્યારે, કુદરતી આફત વચ્ચે ખેડુતોના જીવ તાળવે ચોટ્યા છે. તેમજ આંબાના પાકને પણ મોટુ નુકસાન થઇ શકે છે.
આ સાથે આ વાતાવરણથી ઘઉ,તમાકુ,એરંડા,વરિયાળી,રાજગરો જેવા અનેક પાકોમાં પુરતા પ્રમાણમાં નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે.