મેઘમહેર@સાબરકાંઠા: છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ, હરણાવ 88 અને ગુહાઈ 50 ટકા ભરાયો

 
Sabarkantha Rain

અટલ સમાચાર, ડેસ્ક

સાબરકાંઠા જિલ્લામાં પાંચમાં દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે. ત્યારે બુધવારે વહેલી સવારે હિંમતનગર, વિજયનગર અને તલોદમાં વરસાદ નોધાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. જેને લઈને જળાશયમાં પાણીની આવક ચાલી રહી છે. તો હરણાવ 88 ટકા અને ગુહાઈ 50 ટકા ભરાયો છે. બુધવારે સવારે હિંમતનગર, વિજયનગર અને તલોદમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તો બે કલાકમાં બે-બે મીમી વરસાદ નોંધાયો છે. 

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાંશ 9.38 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 97 ટકા વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં 4 મીમીથી 18 મીમી સર્વત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ખેડબ્રહ્મા 06 મિમી, વિજયનગર 10 મિમી, વડાલી 18 મિમી, ઇડર 06 મિમી, હિંમતનગર 14 મિમી, પ્રાંતિજ 08 મિમી, તલોદ 04 મિમી અને પોશીના 09 મિમી વરસાદ નોંધાયો છે. 

સાબરકાંઠા જિલ્લાના જળાશયની વાત કરવામાં આવે તો 52.52 ટકા ભરાયેલ ગુહાઈ જળાશયમાં 866 ક્યુસેક, 47.84 ટકા ભરાયેલ હાથમતી જળાશયમાં 240 ક્યુસેક, 88.62 ટકા ભરાયેલ હરણાવ જળાશયમાં 220 ક્યુસેક, 72.32 ટકા ભરાયેલ ખેડવા જળાશયમાં 275 ક્યુસેક પાણીની આવક અને 275 ક્યુસેક જાવક છે. તો તલોદના મેશ્વો નદી પરના 84 ટકા ભરાયેલ જવાનપુરા બેરેજમાં 360 પાણીની ક્યુસેક આવક અને 360 ક્યુસેક પાણીની જાવક, 82 ટકા ભરાયેલ ગોરઠીયા બેરેજમાં 1200 ક્યુસેક પાણીની આવક અને 1200 ક્યુસેક પાણીની જાવક ચાલી રહી છે.