ઘટના@રાજકોટ: સુસાઇડ નોટ લખી યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટ શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં દીપાલી રાજુભાઈ પરમાર નામની યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ યુનિવર્સિટી પોલીસ ને થતા યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને દીપાલીએ લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઇટ નોટમાં દીપાલીએ સુનીલ નામના યુવકના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
યુનિવર્સિટી પોલીસે કબજે કરેલી સુસાઈડ નોટમાં દીપાલીએ લખ્યું છે કે, "હું સુસાઈડ કરું છું. મને સુસાઈડ માટે મજબૂર સુનીલ કુસમગ્ર મામલે મૃતક દિપાલીના પિતા રાજુભાઇ પરમારની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ દ્વારા તેમના જ વિસ્તારમાં રહેતા સુનીલ રસિકભાઈ કુકડીયા સામે આઈપીસીની કલમ 306 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યોગાનું યોગ હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી પરમારે જે દિવસે આપઘાત કર્યો હતો તેના આગલા જ દિવસે સુનિલની જાન પાટણ વાવ ખાતે ગઈ હતી. દિપાલીએ આત્મહત્યા કરી લીધાની જાણ થતા વિવાહિત જોડું ઘરેથી ભાગી ગયાના સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે.કડીયાએ કરી છે. એને મને ગારું આપી છે. મારા મમ્મી પપ્પાને પણ આપી છે અને મને મારી પણ છે. સોરી પાપા- દિપાલી."