ખેડબ્રહ્મા: વાલવણ ગામે બિનવારસી હાલતમાં લાશ મળતા ચકચાર
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જીલ્લામાં શનિવારે એક બિનવારસી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતા ખેડબ્રહ્મા શહેર પોલીસે ઘટના સ્થળે પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, સાબરકાંઠા જીલ્લામાં બિનવારસી લાશ મળવાના કિસ્સાઓ વધી રહયા છે. ખેડબ્રહ્મા
Jun 22, 2019, 12:02 IST
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
સાબરકાંઠા જીલ્લામાં શનિવારે એક બિનવારસી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતા ખેડબ્રહ્મા શહેર પોલીસે ઘટના સ્થળે પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, સાબરકાંઠા જીલ્લામાં બિનવારસી લાશ મળવાના કિસ્સાઓ વધી રહયા છે. ખેડબ્રહ્મા નજીક વાલવણ ગામેથી અજાણી લાશ મળી આવતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. જોકે પ્રાથમિક તપાસમાં આ લાશ લીલાવંટાના ચંદુભાઇ ભેરાભાઇ બુબડીયાની હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે ખેડબ્રહ્મા શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે