હત્યા@તલોદ: આડા સંબંધનો વહેમ રાખી પતિએ પત્નિને પતાવી દીધી
અટલ સમાચાર, તલોદ
તલોદ તાલુકાના ગામે પતિએ પત્નિની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત પરિવારજનો દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં પતિને શંકા હતી કે તેની પત્નિને કોઇ સાથે આડા સંબંધ છે. જેથી તેને હત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ સાથે આરોપી પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના હરસોલ ગામે હત્યાના બનાવથી ચકચાર મચી ગઇ છે. હરસોલ ગામના મનુભાઇ પરિવાર સાથે બદામકંપાના ખેતરમાં ખેતમજૂરી કરે છે. ગઇકાલે બપોરે તેઓ ખેતરમાં હતા તે દરમ્યાન તેમની પત્ની કોઇની જોડે ફોન ઉપર વાત કરતી હોઇ તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. જ્યાં તેમને ગુસ્સામાં આવી પોતાની પત્નિના માથામાં કોદાળીના ઘા મારતા તે ગંભીર ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, આરોપીની પત્નિને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી સારવાર દરમ્યાન તેમનું કરૂણ મોત નિપજ્યુ હતુ. આડા સંબંધની વહેમમાં પત્નિની હત્યા મામલે પોલીસે પતિની ઘરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસે મનુભાઇ વિરૂધ્ધ આઇપીસીની કલમ 307 અને જી.પી.એ.ની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.