ધાર્મિક@ખેડબ્રહ્મા: ગુપ્તદાનના સોનામાંથી 8 લાખના ઝાંઝર માં અંબાને અર્પણ
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે બિરાજમાન માં અંબિકાના દર્શનાર્થે દરરોજ હજારો શ્રદ્ધાળુ ગુજરાતભરમાં થી આવતા હોય છે. જેમાં શ્રદ્ધાળુઓ દ્રરા દાન-ભેટ અર્પણ કરવામાં આવે છે. જેમાંથી કેટલાક શ્રદ્ધાળુ ગુપ્ત દાન તરીકે ભંડારામાં દાન કરતાં હોય છે. જેમાં રોકડ, સોનું ચાંદી સહિત્ અન્ય વસ્તુઓ દાન કરતાં હોય છે. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ
Nov 11, 2019, 18:21 IST
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે બિરાજમાન માં અંબિકાના દર્શનાર્થે દરરોજ હજારો શ્રદ્ધાળુ ગુજરાતભરમાં થી આવતા હોય છે. જેમાં શ્રદ્ધાળુઓ દ્રરા દાન-ભેટ અર્પણ કરવામાં આવે છે. જેમાંથી કેટલાક શ્રદ્ધાળુ ગુપ્ત દાન તરીકે ભંડારામાં દાન કરતાં હોય છે. જેમાં રોકડ, સોનું ચાંદી સહિત્ અન્ય વસ્તુઓ દાન કરતાં હોય છે.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
વર્ષ દરમ્યાન ભક્તો દ્રારા માં અંબિકાને ગુપ્ત દાનમાં સોનું અર્પણ કરવાંમાં આવ્યું હતુ. જેને મંદિર ટ્રસ્ટ દ્રારા માતાજીને 209 ગ્રામ અંદાજીત કિંમત 8 લાખથી વધુના સોનાના ઝાંઝર બનાવી કારતક સુદ ચૌદશ એટલે કે શ્રી યંત્રની સ્થાપનાના દિવસે માતાજીને અર્પણ કરવામા આવ્યા હતા.