પેટાચૂંટણી@લીંબડી: બધા જ રેલવે સ્ટેશન અને એરપોર્ટ કોંગ્રેસે બનાવ્યા: મોઢવાડીયા

અટલ સમાચાર, સુરેન્દ્રનગર કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તરફથી તમામ બેઠકો પર પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે ઉતારી દેવામાં આવ્યા છે. લીંબડી બેઠક પરથી ચૂંટણી પ્રચાર કરતા કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. આ સાથે ખાનગીકરણ
 
પેટાચૂંટણી@લીંબડી: બધા જ રેલવે સ્ટેશન અને એરપોર્ટ કોંગ્રેસે બનાવ્યા: મોઢવાડીયા

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તરફથી તમામ બેઠકો પર પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે ઉતારી દેવામાં આવ્યા છે. લીંબડી બેઠક પરથી ચૂંટણી પ્રચાર કરતા કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. આ સાથે ખાનગીકરણ મુદ્દે પણ સરકારને આડેહાથ લીધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાની લીંબડી બેઠક પર પ્રચાર કરતાં દરમ્યાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે, “રસ્તા અને એસ.ટી. બસ સ્ટોપ કોંગ્રેસે બનાવ્યા છે. 25 વર્ષ પહેલા 10 હજાર એસ.ટી. બસ દોડતી હતી, આજે છ હજાર જ દોડે છે. વસ્તીમાં ત્રણ ગણો વધારે થયો પરંતુ બસની સંખ્યા ઓછી થઈ ગઈ. ખાનગી બસો શરૂ થઈ ગઈ. બધા જ રેલવે સ્ટેશન અને એરપોર્ટ કોંગ્રેસે બનાવ્યા છે. તમે એસ.ટી. ડેપો વેચવાનું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી વહિવટી તંત્રનો દુરૂઉપયોગ કરીને સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરી રહ્યું છે. પાસામાં પૂરાયેલા ઘણા અસામાજિક તત્વોને ચૂંટણી માટે જેલ બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ નિર્દોષ લોકોને પાસા જેવા ખોટા કેસમાં ફિટ કરીને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે.”

આ સાથે અર્જુન મોઢવાડિયાએ પીએમ મોદી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, “ચીન ભારતમાં ઘૂસી ગયું, પાકિસ્તાન દરરોજ ઘુરકિયાં કરે છે અને મોદી સાહેબ ચૂંટણી આવે એટલે તલવારો ફેરવે છે. મને મૂકી દો નહીં તો હું મારી આવીશ, મને મૂકી દો. પણ તમને પકડ્યા છે કોણે એ તો કહો ? મારી આવો. ચૂંટણી પર આપણને એમ થાય કે તેઓ હમણા જ તલવાર લઈને પાકિસ્તાન પહોંચી જશે. ગામડામાં ઘણા એવા હોય છે કે જેઓ કહેતા હોય છે કે મને મૂકી દો.

આ તરફ ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ જણાવ્યું હતું કે, “હું શરૂઆતથી જ કહું છું કે લીંબડી બેઠક પર ભારતીય જનતા પાર્ટી પાસે બિલકુલ જનાધાર નથી. એમને એમના સંગઠન પર વિશ્વાસ નથી. માત્ર વહિવટી તંત્રના જોરે તેઓ ચૂંટણી જીતવા માંગે છે. કચ્છની અંદર પાસામાં ધકેલાયા આરોપીને ચૂંટણી માટે મુક્ત કરવામાં આવ્યા છે. લીંબડી બેઠક પર ટાર્ગેટ કરીને કેટલાક ઇસમોને પાસાના નામે ધરપકડ કરવામાં આવી છે. મારી પાસે તો ત્યાં સુધીની માહિતી છે કે સાયલા તાલુકાના મોરસલ ગામે ખાતે ચોક્કસ જ્ઞાતિને દબાવવા માટે ખાણ-ખનીજના દરોડા કરવામાં આવ્યા છે. જે સમાજ ટેકો નથી આપતો તેમને દબાવીને ભાજપ ટેકો લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.”