કાર્યવાહી@આણંદ: મોટા બિલ્ડરો અને વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગનો સર્વે, મોટી કરચોરીની શક્યતા
Updated: Jan 18, 2024, 10:52 IST

અટલ સમાચાર, ડેસ્ક
આણંદ શહેર-જિલ્લામાં મોટા ગજાના બિલ્ડરો અને વેપારીઓના સ્થળો પર આવકવેરા વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી છે. પોલીસ પ્રોટેક્શન સાથે આવકવેરા વિભાગના અધિકારીઓએ શરૂ કરેલી આ સર્વેની કામગીરીથી મોટા બિલ્ડરો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આવકવેરા વિભાગે મોટા બિલ્ડરો, જવેલર્સ અને રિયલ એસ્ટેસ્ટ સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરી છે. નારાયણ બિલ્ડર, ક્રિષ્ના બિલ્ડર, જેડી બિલ્ડર્સ, રાધે જવેલર્સને ત્યાં આવકવેરા વિભાગે સર્વેની કામગીરી શરૂ કરી છે, જેમાં મોટી કરચોરી સામે આવે તેવી શક્યતા છે.