ચકચાર@રાજકોટ: 5 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ અધિકારીએ કર્યો આપઘાત, જાણો શું હતો સમગ્ર મામલો ?

 
Rajkot

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં ગઈકાલે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઈ રૂપિયા 5 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. આ મામલે CBI દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને એમાં અધિકારી લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. જોકે જાવરીમલ બિશ્નોઇએ વહેલી સવારે ચોથા માળેથી ઝંપલાવતાં ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.

રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈએ ઓફિસના બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. આજે સવારે ઓફિસના ચોથા માળેથી કૂદકો મારી દેતાં હાજર સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. CBI ટ્રેપ બાદ આખી રાત તેમની ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા સેવાઈ રહી છે.

આ તરફ હવે મૃતક જાવરીમલ બિશ્નોઈના પરિવારજને જણાવ્યું હતું કે, અમને અમારા પરિવારના સભ્ય પાછા આપી દ્યો. આ ઘટનામાં અમારે ન્યાય જોઇએ છે. આ બહુ મોટું ષડયંત્ર છે, અમારા જાવરીમલ એવા વ્યક્તિ જ નહોતા, બહુ સારા હતા. બે દિવસથી તેને માર મારવામાં આવતો હતો. અમારી વ્યક્તિ લાંચ લેતા જ નહોતા, બહુ જ ઇમાનદાર હતા.

Jaherat
જાહેરાત

જાણો શું હતો સમગ્ર મામલો ? 

વિગતો મુજબ ફરિયાદી દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ફૂડ કેનની નિકાસ માટેની અરજી કરવામાં આવી હતી. આ અંગેના તમામ આવશ્યક દસ્તાવેજો ધરાવતી 6 ફાઈલ ડાયરેક્ટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની રાજકોટ ખાતેની ઓફિસમાં જમા કરી હતી, પરંતુ ફોરેન ટ્રેડના વરિષ્ઠ અધિકારી DGFT જાવરીમલ બિશ્નોઇ દ્વારા આ મામલે NOC આપવા માટે રૂપિયા 9 લાખની લાંચ માગવામાં આવી હતી.