દુર્ઘટના@રાધનપુર: બેફામ કારની ટક્કરે બાઇક ફંગોળાયું, 2 આશાસ્પદ યુવકોના કરૂણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર રાધનપુરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં 2 આશાસ્પદ યુવકોના મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે રાત્રે શહેરના રાધનપુર-મહેસાણા હાઇવે પર બેફામ બલેનોચાલકે બાઇકને અડફેટે લીધુ હતુ. જેમાં ગંભીર ઇજાઓને કારણે બાઇકસવાર એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ તરફ અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમ્યાન મોત થયુ
 
દુર્ઘટના@રાધનપુર: બેફામ કારની ટક્કરે બાઇક ફંગોળાયું, 2 આશાસ્પદ યુવકોના કરૂણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

રાધનપુરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં 2 આશાસ્પદ યુવકોના મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે રાત્રે શહેરના રાધનપુર-મહેસાણા હાઇવે પર બેફામ બલેનોચાલકે બાઇકને અડફેટે લીધુ હતુ. જેમાં ગંભીર ઇજાઓને કારણે બાઇકસવાર એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ તરફ અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. અકસ્માત સર્જીને ચાલક સ્થળ પરથી નાસી છુટ્યો હોઇ મૃતકના ભાઇએ અજાણ્યાં ફરાર ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુરમાં અકસ્માતની ઘટનામાં 2 મિત્રોના મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. રાધનપુરના નાનાપુરા ગામના મહાદેવભાઇ રાયચંદભાઇ ઠાકોર અને તેમનો મિત્ર પારકરા ઠાકોર કિશનભાઇ બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન નવિન બલેનો કારના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી તેમના બાઇકને ટક્કર મારી અડફેટે લીધા હતા. જેમાં પારકરા ઠાકોર કિશનભાઇનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ તો મહાદેવભાઇનું સારવાર વચ્ચે મોત થયુ હતુ.

દુર્ઘટના@રાધનપુર: બેફામ કારની ટક્કરે બાઇક ફંગોળાયું, 2 આશાસ્પદ યુવકોના કરૂણ મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાધનપુર-મહેસાણા હાઇવે પર અકસ્માતની ઘટનામાં એકસાથે બે લોકોના મોતથી ચકચાર મચી ગઇ છે. ગઇકાલે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓને કારણે મોત થયુ હતુ. આ તરફ અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ હોઇ સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ મોત થયુ હતુ. જોકે અકસ્માત સર્જીને બલેનો ચાલક નાસી છુટ્યો હોઇ મૃતકના ભાઇએ અજાણ્યાં ફરાર ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 187, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.