દુર્ઘટના@ભાવનગર: કપાસ ભરેલો ટ્રક પલટી જતા 3 મજૂરોના ઘટના સ્થળે જ મોત, જાણો વિગતે
ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
Oct 31, 2023, 11:35 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગરના ગારીયાધાર-ફિફાદ રોડ પર કપાસ ભરેલો ટ્રક પલટી જતા 3 મજૂરોના ઘટનાસ્થળે જ 3 મજૂરોના મોત થયા છે. જ્યાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણ થતા જ ગારીયધાર પોલીસે ઘટનાસ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી હતી. કપાસ ભરેલી આઈસર પલટી જવાના કારણે રોડ પર રૂનો ઢગલો થઈ ગયો હતો. આથી તાત્કાલિક રસ્તા પરથી રૂ દૂર કરવાની કામગીરી કરાઈ હતી.
ઘટનાની જાણ થતા જ ગારીયાધાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોનુ પંચનામુ કરી પીએમ અર્થે ખસેડ્યા હતા. મૃતકોની ઓળખ કરી તેમના પરિવારજનોને જાણ કરવા માટેની તજવીજ હાથ ધરી હતી. કુલ 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમા બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે.