રિપોર્ટ@ગુજરાત: કેનાલમાં 3 મુસ્લિમ યુવાનો ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા

યુવાનો કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા
 
રિપોર્ટ@ગુજરાત: કેનાલમાં 3 મુસ્લિમ યુવાનો ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતની ભયાનક ઘટનાઓ સામે આવતી હોય છે. પંચમહાલના શહેરા તાલુકામાં આવેલ પાનમડેમની સિંચાઈ કેનાલમાં 3 મુસ્લિમ યુવાનોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા હતા. રમજાન ઈદનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. મરણ જનાર ત્રણેય મુસ્લિમ યુવાનો લુણાવાડા તાલુકાના કોઠંબા ગામના હતા. 2 સગાભાઈ હતા. 

રમજાન ઈદનો તહેવાર હતો એટલે દરેક મુસ્લિમ બિરાદરો ઈદનો તહેવાર હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યાં હતાં. તેવામાં એકસાથે કેનાલના પાણીમાં ડૂબી જવાથી કેનાલમાં ડુબી જતા 2 સગાભાઈ અને 1 મૌલાનાના મોતના સમાચારથી લુણાવાડા તાલુકાના કોઠંબા ગામમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો.


પંચમહાલના શહેરા તાલુકાના છેવાડાના કોઠા ગામ પાસે આવેલ પાનમડેમનો નજારો જોવા માટે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામ ખાતે રહેતા બુરહાન શેખ તેના મિત્રો સાથે આવ્યા હતા. ત્યારે ડેમ પાસે આવેલ પાનમ સિંચાઈ કેનાલમાં એક યુવાન પાણી ભરવા જતા તે સમયે પગ લપસી જતા કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે તેને બચાવવા માટે બીજા યુવકો પણ કેનાલમાં છલાંગ લગાવી હતી તેને બચાવવાની કોશિશ કરી રહ્યાં હતા, પરંતુ જોતજોતામાં ત્રણેય મુસ્લિમ યુવાનો કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.


પાનમની સિંચાઈ કેનાલના પાણીમાં યુવાનો ડૂબી રહ્યાં હતાં તે સમયે ત્યાં ઉપસ્થિત બીજા લોકો પણ કેનાલમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા. બનાવની જાણ તંત્રને થતાં ઘટના સ્થળે પહોંચી પાનમ જળાશય સિંચાઈ કેનાલમાં છોડવામાં આવેલ પાણી તાત્કાલિક બંધ કરાવીને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી.


સ્થાનિક ગ્રામજનોની મદદથી કેનાલમાંથી ભારે જહેમત બાદ એક બાદ યુવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક ત્રણ મુસ્લિમ યુવાનોમાંથી બે સગા ભાઈઓ હતા. બનાવની જાણ સ્થાનિક પોલીસને થતાં તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય મુસ્લિમ યુવાનોના મૃતદેહોને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. રમજાન ઈદના દિવસે બનેલી દુઃખદ ઘટનાને લઈને સમગ્ર કોઠંબા ગામમાં શોખની લાગણી પ્રસરી જવા પામી હતી. જ્યારે પરીવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.