બનાવ@અમદાવાદ: વિરમગામના લોક મેળામાં બોલાચાલી બાદ યુવકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ
જ્યાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઇ રહી હતી. ત્યાં
Sep 8, 2023, 19:51 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજકલ લોકો નાની-નાની વાતમાં ઝગડતા હોય છે.લોકો એક-બીજાનો જીવ લેવા તૈયાર થઇ જાય છે.અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના લોક મેળામાં ધિંગાણું સર્જાયું હતુ. આ લોકમેળામાં હજારોની ભીડ વચ્ચે યુવકો વચ્ચે મારામારી (Fight) થઇ હતી. વિરમગામમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે યોજાયેલા મેળામાં યુવકો વચ્ચે કોઇ બાબતને લઇને બોલાચાલી થઇ હતી.જે પછી આ યુવકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. મામલો એટલો બીચક્યો હતો કે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મામલાને થાળે પાડવો પડ્યો હતો.