દુર્ઘટના@અમદાવાદ: અંડરબ્રિજ પર કાર અને ટ્રકનો અકસ્માત થતાં એક યુવકનું મોત નીપજ્યું, 2 યુવતીને ઈજા

ઘટનાની જાણ ટ્રાફિક- પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોચ્યા હતા.
 
દુર્ઘટના@અમદાવાદ: અંડરબ્રિજ પર કાર અને ટ્રકનો અકસ્માત થતાં એક યુવકનું મોત નીપજ્યું, 2 યુવતીને ઈજા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદના થલતેજ અંડરબ્રિજ પર કાર અને ટ્રકનો અકસ્માત થતાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય બે યુવતીને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાઈ છે. એક યુવક પોતાની કિયા સેલ્ટોસ કાર લઈને પૂરઝડપે આવી રહ્યો હતો, ત્યારે બંધ પડેલી ટ્રકના પાછળના ભાગે તેની ટક્કર થતાં કારચાલક યુવકનું કરુણ મોત થયું હતું. આ મામલે એસ. જી. 1 ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજે નવેમ્બરે સવારે 5 વાગ્યે એસ. જી. હાઈવે પરના ગુરુદ્વારા પાસેના અંડરબ્રિજમાં એક આઈસર ટ્રક પસાર થતા સમયે બંધ પડી ગઈ હતી. આ દરમિયાન થલતેજથી ઈસ્કોન તરફ કાળા કલરની કિયા સેલ્ટોસ કાર પૂરઝડપે જઈ રહી હતી. કારની સ્પીડ એટલી હતી કે અંડરબ્રિજમાં બંધ પડેલી આઈસર ટ્રક કારચાલકને દેખાઈ નહીં અને પાછળથી ટક્કર મારી દીધી હતી. ધાડાકાભેડ કાર ટ્રકમાં અથડાવતાં કારચાલક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે તેની સાથે બેઠેલી બે યુવતી પણ ઈજાગ્રસ્ત થઈ હતી.

આ અકસ્માત થતાંની સાથે જ આઈસર ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે ઈજાગ્રસ્ત યુવક અને યુવતીઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયાં હતાં. ઘટનાની જાણ ટ્રાફિક- પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોચ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે કારચાલકનું નામ આર્યન બત્રા છે અને તે આંબલી પાસે આવેલા આર્યન ઓપ્યુલ્સન ફ્લેટમાં રહે છે. અકસ્માતના કારણે આર્યનને શરીર પણ ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. આર્યનની સાથે તેની બે મહિલા મિત્ર પણ હતી, જેમને શરીર પર ઈજા પહોચતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બન્ને યુવતી નવરંગપુરાના પીજી હોસ્ટેલમાં રહે છે.

આ મામલે ટ્રાફિકના ડીસીપી ભાવના પટેલે જણાવ્યુ કે, આંબલી ખાતે રહેતો આર્યન અને પીજી હોસ્ટેલમાં રહેતી બન્ને યુવતીઓ કયાથી આવી રહ્યા હતા, તે દિશામાં ટ્રાફિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વહેલી પરોઢે યંગસ્ટ એસજી હાઈવેથી કઈ જગ્યાએ જઈ રહ્યા હતા, તે દિશામાં પણ તપાસ ચાલુ છે. યુવતીઓ હાલ સ્ટેબલ છે અને તેમના નિવેદન નોંધીને તપાસ શરૂ કરાશે.

પોલીસ તપાસ ચાલુ હોવાના કારણ હજુ આઈસર ટ્રક અને કાર ઘટનાસ્થળે પડી છે, જેના કારણે ગોતાથી આવતા વાહનચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય કેટલાક વાહનચાલકો અકસ્માતની ઘટનાના ફોટોગ્રાફ્સ અને વીડિયો ઉતારી રહ્યા હતા, જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ.

થલતેજથી વૈષ્ણવદેવી સુધી 29 કેમેરા લાગવેલા છે, જેમાં 8 કેમેરા નેશનલ હાઈવે ઓથોરેટીએ લગાવેલા છે, ત્યારે 21 સીસીટીવી કેમેરા પોલીસને જનભાગીદ્રારા લગાવેલા છે. હાલ પોલીસે તમામ દીશામાં તપાસ શરૂ કરી છે.