રીપોર્ટ@ગુજરાત: વૈજ્ઞાનિકોના મતે આગામી 5 દિવસ સુધી કેવું રહેશે હવામાન ?

 છેલ્લા કેટલાક મહિનાઓથી સતત હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હમણાં થોડા દિવસ હવામાન સ્થિર થયું હતું ત્યા ફરી છેલ્લા બે દિવસથી દેશભરમાં અચાનક હવામાન બદલાઈ ગયુ છે. કેટલીક જગ્યા પર જોરદાર આંધી તોફાન સાથે વરસાદ થયો હતો તો કેટલીક જગ્યા પર તપતી ગરમીમાં લોકોને રાહત મળી હતી. એટલુ જ નહી લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.

પરંતુ મહત્વની વાત એ છે કેટલીક જગ્યાઓ પર આ કમોસમી વરસાદે આફત ઉભી કરી છે. બિહારના બેગૂસરાયમાં તો તોફાન સાથે વૃક્ષો પડી જવાથી બે મહિલાઓ સહિત છ લોકો ઘાયલ થયાના સમાચાર છે.

ઉનાળાની સિઝનમાં હવામાનમાં ફેરફાર થવા પાછળ અત્યારે દરેક લોકોને જાણવાની ઈચ્છા હોય કે, હાલમાં વરસાદ કેમ પડે છે. તેની પાછળનું કારણ શુ છે. જેના માટે હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે કેમ અત્યારે કેમ વરસાદ થઈ રહ્યો છે તે જાણીએ.

કેમ ઉનાળામાં થઈ રહ્યો છે વરસાદ?
હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે ઉનાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહુ સક્રિય હોતું નથી, પરંતુ આ વખતે આવુ જોવા મળ્યુ નથી. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ સક્રિય થઈ ગયું છે. જેના કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સ્વરૂપમાં ચક્રવાતી પરિભ્રમણ નીચલા અને ઉપલા ટ્રોપોસ્ફેરિક સ્તરોમાં મધ્ય પાકિસ્તાન પર આવેલું છે. નીચેના ટ્રોપોસ્ફિયરમાં દક્ષિણ પાકિસ્તાન અને તેની નજીકના પશ્ચિમ રાજસ્થાન પર ચક્રવાતનું પરિભ્રમણ જોવા મળે છે. ચક્રવાતી પરિભ્રમણનો એક વિસ્તાર દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને બીજો દક્ષિણ છત્તીસગઢમાં નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરે છે. જેની અસર આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં જોવા મળશે.આગામી પાંચ દિવસ કેવુ રહેશે હવામાન
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ દરમ્યાન હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ, હિમવર્ષા, વિજળી પડવાની તેમજ તેજ હવા સાથે ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે.