મર્ડર@સુરત: દિવ્યાંગને આરોપીએ ચપ્પુના ઘા ઝીંકાતા મોત નીપજ્યું, જાણો સમગ્ર બનાવ

 ચપ્પુના ઘા ઝીંકાતા મોત નીપજ્યું
 
મર્ડર@સુરત: દિવ્યાંગને  આરોપીએ  ચપ્પુના ઘા ઝીંકાતા મોત નીપજ્યું, જાણો સમગ્ર બનાવ  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. લોકો સામન્ય બાબતે ઝગડીને એકબીજાને જાનથી મારી નાખતા હોય છે.  સુરત શહેરમાં હત્યાની ઘટના અવારનવાર સામે આવી રહી છે. ત્યારે શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડમાં આવાસમાં દિવ્યાંગ યુવકને બે શખસે ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. અમરોલી પોલીસે બે શખસ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


બનાવ એવો છે કે, અમરોલી કોસાડ આવાસમાં રહેતા 26 વર્ષીય સંદીપ શૈલેષ નિશાદ પોતાના મિત્રની દુકાન પર ગઈકાલે રાત્રે બેઠો હતો. આ દરમિયાન કોસાડ આવાસમાં એચ 1 બિલ્ડિંગમાં રહેતા ચિરંજીત અને રોશન સહાની સંદીપ પાસે આવ્યા હતા અને અચાનક સંદીપને પગના પાછળના ભાગ પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેથી સંદીપની હાલત ગંભીર થતા તેના ભાઈ અને પરિવારજનો સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ લઈ આવ્યા હતા.


હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સંદીપનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈ ચંદ્રશેખર નિશાદે જણાવ્યું હતું કે, મારો ભાઈ સંદીપ છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે. અમે મૂળ ઉત્તર પ્રદેશના છીએ. ગઈકાલે મારો ભાઈ તેના મિત્રની દુકાન પર બેઠો હતો તે દરમિયાન આ બંને શખસે આવી મારા ભાઈને ચપ્પુના ઘા મારી દીધા હતા. આ હત્યા ઝઘડાની અદાવતમાં કરાઈ હોવાની આશંકા છે.


રોશન સહાની અને ચિરંજીત શર્મા ઉર્ફે બિહારી એચ વન બિલ્ડિંગમાં રહે છે. આ બંને શખસ ઉપર અન્ય એક વ્યક્તિનો હાથ છે. અમે આ મામલે અમરોલી પોલીસમાં તાત્કાલિક ફરિયાદ કરી દીધી છે. જેથી અમરોલી પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.


ઉલ્લેખનીય છે કે, મૃતક સંદીપ નિશાદ દિવ્યાંગ હતો અને એક હાથ નહોતો. ચાર વર્ષ પહેલા ટ્રેન અકસ્માતમાં સંદિપનો હાથ કપાય ગયો હતો. હાલ રિક્ષા ભાડે ફેરવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક સંદીપના પરિવારમાં ત્રણ ભાઈઓ અને માતા-પિતા છે. ત્યારે સંદીપના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે અને આરોપીઓને કડકમાં કડક સજાની માગ કરી રહ્યા છે.


આ બનાવની વિગત એવી છે કે, સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાં ધોળા દિવસે એક યુવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ડિંડોલીના બિલિયાનગર સોસાયટીમાં યુવકની જાહેરમાં હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. અતુલ યાદવ નામના યુવકને બે લોકોએ હથિયારોના ઘા ઝીંકી પતાવી દીધો હતો. બે યુવકો જાહેરમાં યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આથી ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે ડિંડોલી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.