કાર્યવાહી@અમદાવાદ: પત્નીનું ગળું કાપી હત્યા કરનાર પતિને આજીવન કેદ, જાણો વધુ

 આરોપી સામે દયા દાખવી શકાય નહીં.
 
કાર્યવાહી@રાજકોટ: બાળકનું અપહરણના કેસમાં આરોપીઓને  જેલ હવાલે કરાયા 

અટલ સમાચાર ડોટ કોમ ડેસ્ક 

શહેરકોટડા વિસ્તારમાં રહેતી પત્નીને પતિ સાથે ઝઘડો થતા રિસાઇને પિયર જતી રહી હતી. આ દરમિયાન પતિ ત્યાં પહોંચ્યો હતો અને પત્નીની સાથે ઝઘડો કરી તેનું ગળું કટરથી કાપી હત્યા કરી હતી. આ કેસમાં એડિશનલ સેશન્સ જજ વી. બી. રાજપૂતે પતિને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે, આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યા છે ત્યારે આરોપી સામે દયા દાખવી શકાય નહીં.

શહેરકોટડા વિસ્તારમાં રહેતી રાજશ્રીના લગ્ન 16 વર્ષ અગાઉ સામાજિક રીતરિવાજ મુજબ શૈલેષકુમાર પાંડુરંગ રાડગે સાથે થયા હતા. દરમિયાન રાજશ્રીએ દીકરાને જન્મ આપ્યો હતો. જોકે, થોડા સમય પહેલાં પતિ અવાર નવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો. જેથી ઓગસ્ટ 2020માં રાજશ્રી પતિ સાથે ઝઘડો કરી પિયરમાં રહેવા જતી રહી હતી. જેથી 14 ઓગસ્ટ 2020ના રોજ શૈલેષ પત્નીને મળવા પિયર પહોંચ્યો હતો અને સસરાને જણાવ્યું હતું કે, મારે રાજશ્રી સાથે વાત કરવી છે. ત્યારે રાજશ્રી ઘરની બહાર આવી હતી અને મારે કોઇ જ વાત કરવી નથી તેમ જણાવ્યું હતું. પછી તે પરત ઘરમાં જતી રહી હતી. આ દરમિયાન શૈલેષ ઘરમાં પહોંચ્યો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો. શૈલેષે સસરા પર કટાર(ચાકુ) કાઢી હુમલો કરવા પ્રયત્ન કર્યો હતો. જેથી રાજશ્રી વચ્ચે પડી હતી. ત્યારે ઉશ્કેરાયેલા શૈલેષે તેના પર હુમલો કર્યો હતો. જેથી જીવ બચાવવા રાજશ્રી બહાર ભાગી હતી ત્યારે પતિ પણ પાછળ ભાગ્યો હતો અને તેના પર ફરીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં રાજશ્રીનું મોત નિપજ્યું હતું. જેથી સસરાએ જમાઇ શૈલેષ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી લઇ જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ ચાલી જતા કોર્ટે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી છે.