બનાવ@ગુજરાત: આધેડે સુસાઇડ નોટ લખી કેનાલમાં કૂદી આત્મહત્યા કરી, કયા કારણે આવું પગલું ભર્યું ?
કેનાલમાં કૂદી આત્મહત્યા કરી,
Jul 2, 2024, 11:11 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. કડીના સુજાતપુરા ગામે નર્મદા કેનાલમાંથી આંબલિયાસણના આધેડની તરતી લાશ મળી આવી.
ઘરેથી કાર લઈને કેનાલ પહોંચેલા આધેડે સુસાઇડ નોટ લખી કેનાલમાં કૂદી આત્મહત્યા કરી.
અમેરિકા મોકલતા વચેટીયાના વ્યાજે લીધેલા લાખો રૂપિયા એજન્ટો ચાઉં કરી જતાં આધેડે જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.