બનાવ@રાજકોટ: માતાએ તેના ફૂલ જેવા કોમળ બાળકને જ પેટના ભાગે બે ડામ આપતા માસૂમની તબિયત લથડી

અંધશ્રદ્ધાના ખપ્પરમાં માસૂમનો ભોગ લેવાયો
 
બનાવ@રાજકોટ: માતાએ તેના ફૂલ જેવા કોમળ બાળકને જ પેટના ભાગે બે ડામ આપતા માસૂમની તબિયત લથડી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અંધશ્રદ્ધાનો એક ઘટના સામે આવી છે. રાજકોટના જેતપુરના સરધારપુર ગામે અંધશ્રદ્ધામાં ડૂબેલા પરપ્રાંતિય પરિવારે તેમનો નવજાત પુત્ર ગુમાવ્યો છે. પરિવારના 24 દિવસના બાળકને શ્વાસની બીમારી હતી. જેના કારણે તે સતત રડી રહ્યો હતો. તેથી પરિવારજનોએ કોઇ ભુવાના કહેવાથી માસૂમના પેટ પર અગરબત્તીના ડામ દીધા હતા.

માતાએ તેના ફૂલ જેવા કોમળ બાળકને જ પેટના ભાગે બે ડામ આપતા માસૂમની તબિયત લથડી હતી. તેથી બાળકને ગત 13 ઓક્ટોબરે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી બાળકની સારવાર ચાલી રહી હતી, પરંતુ આજે સારવાર દરમિયાન બાળક મોતને ભેટ્યો છે. સમગ્ર મામલે પોલીસે હવે તપાસ શરૂ કરી છે. અંધશ્રદ્ધાના ખપ્પરમાં માસૂમનો ભોગ લેવાયો તેમ છતાં બાળકના માતા-પિતા પૂજા દરમિયાન અગરબત્તી બાળક પર પડી જવાથી બાળક દાઝી ગયું હોવાનું રટણ કરી રહ્યા છે.