ઉજવણી@ગુજરાત: 8થી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં 'હર ઘર તિરંગા' અભિયાન મનાવવામાં આવશે

 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
 
ઉજવણી@ગુજરાત: 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં 'હર ઘર તિરંગા' અભિયાનને મનાવવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દર વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં દર વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઊજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં 'હર ઘર તિરંગા' અભિયાનને રાજ્યભરમાં મનાવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાત મુજબ બંધ સિગ્નલ, લોકલ અને એસટી બસ પર તિરંગાનું વિતરણ થશે. તદુપરાંત રાજ્યના 14 હજારથી વધુ ગામ, નગરપાલિકા અને મનપામાં લાખોની સંખ્યામાં લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે.