ધાર્મિક@ગુજરાત: બુધવારે કરો આ સરળ ઉપાય, દૂર થશે દરિદ્રતા અને પ્રગતિના દ્વાર પણ વધી જશે

બુધવારનો દિવસ ગણપતિજીને સમર્પિત છે
 
ધાર્મિક@ગુજરાત: બુધવારે કરો આ સરળ ઉપાય, દૂર થશે દરિદ્રતા અને પ્રગતિના દ્વાર પણ વધી જશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બુધવારે ગણપતિનો દિવસ ગણવામાં આવે છે.બુધવારના દિવસે ગણપતિજીની ઉપાસના કરવી જોઈએ. ગણેશની સાથે આ દિવસ બુધ ગ્રહ સાથે પણ સંબંધિત છે. બુધ દેવને પણ આ દિવસે પ્રસન્ન કરી શકો છો. બુધવારને ઉત્તમ કામ કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ સાથે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.

તો ચાલો જાણીએ બુધવારના ઉપાયો.

બુધ ગ્રહને મજબૂત કરવાની રીતો
જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તમારી સાથે લીલો રૂમાલ રાખો. તેમજ બુધવારે લીલા મગની દાળ અથવા લીલા કપડાનું દાન જરૂરતમંદોને કરો. આ દિવસે લીલા વસ્ત્રો પહેરવા પણ શુભ છે.

ગાયને ઘાસ ખવડાવો
ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. બુધવારે ગાયને ઘાસ ખવડાવવાથી ગણપતિ અને બુધ ગ્રહ રાજી થઈ આશિર્વાદ આપે છે.

ભગવાન ગણેશને મોદક અર્પણ કરો
ગણેશજીને મોદક ખૂબ પ્રિય છે. જો તમે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો બુધવારે ગણેશજીની પૂજા દરમિયાન તેમને મોદક ચઢાવો.

ભગવાન ગણેશને સિંદૂર અર્પણ કરો
બુધવારે ગણેશજીને સિંદૂર ચઢાવવાથી લાભ મળે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.

નોધ:-આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે.