ચૂંટણી@ગુજરાત: લોકસભાની ચૂંટણી લઈને કોંગ્રેસ પાર્ટીએ 7 ઉમેદવારના નામ જાહેર કર્યા

આ 7 બેઠક પર આ નામ પર મહોર લાગી શકે છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીના થોડાજ દિવસો બાકી રહ્યા છે. ત્યારેય તામાંમ પાર્ટીઓ ઉમેદારોના નામ જાહેર કરી રહી છે.   લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી પર આખરી મહોર મારવાની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપે અત્યારસુધીમાં 22 ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવાર જાહેર કર્યા છે તેમજ આમ આદમી પાર્ટીએ બે ઉમેદવાર જાહેર કર્યા છે. આજે કોંગ્રેસ ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી શકે છે. 

ગુજરાતની 7 બેઠક પર કોંગ્રેસના 7 ઉમેદવાર નક્કી હોય એવું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. દાહોદમાં પ્રભાબેન તાવિયાડ, ખેડામાં કાળુસિંહ ડાભી, પાટણમાં ચંદનજીનું નામ નક્કી છે.

આ 7 બેઠક પર આ નામ પર મહોર લાગી શકે છે

  1. છોટાઉદેપુર- સુખરામ રાઠવા
  2. સાબરકાંઠા- તુષાર ચૌધરી
  3. દાહોદ- પ્રભાબેન તાવિયાડ
  4. આણંદ- અમિત ચાવડા
  5. ખેડા- કાળુસિંહ ડાભી
  6. પાટણ- ચંદનજી ઠાકોર
  7. પંચમહાલ- ગુલાબસિંહ ચૌહાણ

કાળુસિંહ ડાભી (જમણી બાજુ) અને ગુલાબસિંહ ચૌહાણ (ડાબી બાજુ).

અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવારનો ચૂંટણી લડવા ઇનકાર
સાતેય સંભવિત ઉમેદવારોને ફોન કરી પ્રચારકામમાં લાગી જવા હાઈકમાન્ડે સૂચના આપી હોવાનું સૂત્રો કહે છે. ગુજરાતની અન્ય બેઠકો માટે કોંગ્રેસ આજે બીજી યાદી જાહેર કરી શકે છે. અગાઉ ગુજરાતની 7 બેઠક પર કોંગ્રેસે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા. 7 બેઠક પૈકી અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવા ઇનકાર કર્યો છે.

તુષાર ચૌધરી (જમણી બાજુ) અને સુખરામ રાઠવા (ડાબી બાજુ)

I.N.D.I.A. ગઠબંધન અને ભાજપ વચ્ચે ચૂંટણીજંગ
ગુજરાતમાં I.N.D.I.A. ગઠબંધન અને ભાજપ વચ્ચે લોકસભામાં ચૂંટણીજંગ જામશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે, જેમાં ગુજરાતની 24 બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક ભરૂચ અને ભાવનગર પર AAP લડશે. જેમાં ભરૂચ બેઠક પર AAPના ઉમેદવાર ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા ભાજપ સામે ચૂંટણી લડશે.