મનોરંજન@મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને રામ મંદિરથી થોડાક અંતરે અયોધ્યામાં ખરીદ્યો પ્લોટ

એક આલીશાન ઘર બનાવવા માંગે છે
 
ફિલ્મ-જગતઃ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને અંગ દાનની જાહેરાત કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન રામની નગરી અયોધ્યામાં એક આલીશાન ઘર બનાવવા માંગે છે. આ માટે તેણે અભિનંદર લોઢા પાસેથી સેવન સ્ટાર ટાઉનશીપ ધ સરયૂમાં એક પ્લોટ ખરીદ્યો છે. અભિનંદન મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢાના ચેરમેન છે. આ જગ્યા કેટલી મોટી છે અને તેની કિંમત કેટલી છે તે અંગે HoABL તરફથી કોઈ ટિપ્પણી મળી શકી નથી.

જોકે, સૂત્રોનું કહેવું છે કે અમિતાભ બચ્ચન ત્યાં 10,000 સ્ક્વેર ફૂટનું ઘર બનાવવા માંગે છે જેનો ખર્ચ 14.5 કરોડ રૂપિયા થશે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન અયોધ્યામાં રામ મંદિરમાં અભિષેક વિધિ કરશે. સરયુ એન્ક્લેવનું લોકાર્પણ એ જ દિવસે થશે. કહેવામાં આવી રહ્યું છે કે તે 51 એકરમાં ફેલાયેલું છે. આ પ્રોજેક્ટમાં રોકાણ અંગે અમિતાભ બચ્ચને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, હું અયોધ્યામાં ધ સરયૂમાં ધ હાઉસ ઓફ અભિનિંદ લોઢા સાથે ઘર બનાવવા માટે ઉત્સાહિત છું. મારા હૃદયમાં આ શહેરનું વિશેષ સ્થાન છે. અયોધ્યાની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિએ એક ભાવનાત્મક બંધન બનાવ્યું છે જે ભૌગોલિક સીમાઓથી આગળ વધે છે. બિગ બીએ કહ્યું કે અયોધ્યામાં પરંપરા અને આધુનિકતા સાથે રહે છે. અમિતાભ બચ્ચને કહ્યું, હું આ ગ્લોબલ સ્પિરિચ્યુઅલ કેપિટલમાં મારું ઘર બનાવવા માટે ઉત્સુક છું.


અમિતાભ બચ્ચને અગાઉ લખનૌ નજીક કાકોરીમાં જમીન ખરીદી છે. અલ્હાબાદ તેમનું જન્મસ્થળ છે. નેશનલ હાઈવે 330 થી અયોધ્યાનું અંતર 4 કલાકની ડ્રાઈવ છે. HoABLના ચેરમેન અભિનંદન લોઢાએ તેને કંપની માટે માઈલસ્ટોન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે 'ધ સરયૂ'માં અમિતાભ બચ્ચનને 'પ્રથમ નાગરિક' તરીકે આવકારવાનો ઘણો આનંદ છે. આ સ્થળ રામ મંદિરથી 15 મિનિટ દૂર છે. અયોધ્યા એરપોર્ટથી તેનું અંતર 30 મિનિટનું છે.


અભિનંદને કહ્યું, અમારા પ્રોજેક્ટમાં તેમનું રોકાણ દર્શાવે છે કે તેમને આ શહેરની આર્થિક ક્ષમતામાં અતૂટ વિશ્વાસ છે અને આ આધ્યાત્મિક વારસામાં પણ ઊંડી શ્રદ્ધા છે. અમિતાભ બચ્ચને એન્ક્લેવના આયોજિત વિકાસમાં રોકાણ કર્યું છે, જેમાં 5 સ્ટાર હોટલ પણ હશે. આ બ્રુકફિલ્ડ ગ્રુપના લીલા પેલેસીસ સાથે ભાગીદારીમાં થશે. આ પ્રોજેક્ટ માર્ચ 2028 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.