બનાવ@રાજકોટ: આર્થિક સંકડામણથી કંટાળી યુવકે ફાંસો ખાઇ આપઘાત કર્યો

 કંટાળી તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.
 
બનાવ@રાજકોટ: આર્થિક સંકડામણથી કંટાળી યુવકે  ફાંસો ખાઇ આપઘાત કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટના સામે આવતી હોય છે.  સહકાર સોસાયટી પાસેના ઇન્દિરાનગરમાં કિચનવેરના ધંધાર્થીએ ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. આર્થિક ખેંચથી કંટાળી યુવા ધંધાર્થીએ પગલું ભર્યું હતું. તેમજ રેલનગરની છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

સહકાર સોસાયટી મેઇન રોડ પરના ઇન્દિરાનગરમાં રહેતા મયૂર દીપકભાઇ ચૌહાણે (ઉ.વ.24) પોતાના ઘરે લોખંડની એંગલમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મયૂર બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો તે ઓનલાઇન કિચનવેરનો વેપાર કરતો હતો. કેટલાક સમયથી ધંધો બરોબર ચાલતો નહીં હોવાથી આર્થિક ખેંચ ઊભી થઇ હતી અને તેનાથી કંટાળી તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.

અન્ય એક બનાવમાં રેલનગરની છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મોરબી રોડ પરની ન્યૂ જલારામ સોસાયટીમાં રહેતો રોહિત જીતુભાઇ નિમાવત (ઉ.વ.24) મંગળવારે રેલનગરમાં ટાઉનશિપમાં રહેતા તેના ભાઇના ઘરે ગયો હતો અને ભાઇના ઘરેથી નીકળી ટાઉનશિપ નજીક તેણે ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રોહિત છૂટક મજૂરી કરતો હતો કેટલાક દિવસથી તેને કામધંધો નહીં મળતા આર્થિક સંકડામણમાં ફસાયો હતો અને તેનાથી કંટાળી તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.