બનાવ@અમદાવાદ: પંચમ મોલ પાસે આવેલા પાર્કિંગમાં આગ લાગવાથી 5 રિક્ષા બળીને ખાખ થઇ ગઇ
દિવાળીની ઉત્સાહપૂર્વક ઉજવણી
Nov 13, 2023, 13:24 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં દિવાળીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોએ દિવાળીના દિવસે મોટી સંખ્યામાં ફટાકડા ફોડ્યા છે. જો કે દિવાળીના દિવસે આગ લાગવાની પણ અનેક ઘટનાઓ બની છે. અમદાવાદના નિકોલમાં પંચમ મોલ પાસે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જેમાં પાંચ રિક્ષા બળીને ખાખ થઇ ગઇ હતી.
દિવાળીના દિવસે અમદાવાદના નિકોલમાં આગ લાગી હતી. પંચમ મોલ પાસે આવેલા પાર્કિંગમાં આગ લાગવાથી 5 રિક્ષા બળીને ખાખ થઇ ગઇ હતી. રિક્ષામાં તો નુકસાન થયું,પરંતુ જ્યારે આગ લાગી ત્યારે સ્થાનિકોમાં અફરાતફી મચી ગઇ હતી અને પાર્કિંગમાં રહેલી અન્ય રિક્ષામાં આગ ન લાગે તે માટે સલામત સ્થળે ખસેડી લેવાઇ. 9 જેટલી રિક્ષાને પાર્કિંગમાંથી હટાવી લેવાઇ અને ફાયર વિભાગે પણ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી.