આરોગ્ય@શરીર: પાઈનેપલના જ્યુસથી શરીરને મળે છે અનેક ફાયદા, જાણો આ ફળ કેવી રીતે કરે છે અસર

અનાનસ આરોગ્ય માટે ખૂબ ફાયદારૂપ છે.
 
આરોગ્ય@શરીર: પાઈનેપલના જ્યુસથી શરીરને મળે છે અનેક ફાયદા, જાણો આ ફળ કેવી રીતે કરે છે અસર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અનાનસ ખાવાથી આપણા શરીરને ગણા બધા ફાયદા થાય છે . તે શરીર માટે ખુબજ ફાયદા કારક ફળ છે .તેમા કેલ્શિયમ ફાઈબર અને વિટામિન સી ભરપૂર માત્રામાં જોવામળે છે અને ફેટ ખૂબ જ ઓછુ હોય છે. ગર્ભાવસ્થામાં થનારા મોર્નિંગ સિકનેસની સમસ્યાને ઓછી કરવામાં અનાનસ તમારી મદદ કરી શકે છે.આ સમસ્યાને ઓછી કરવા માટે ખાલી પેટ અનાનસનું સેવન કરવુ જોઈએ.તેમા બ્રોમિલેન નામનુ તત્વ શરદી, ખાંસી, સોજો, ગળામાં ખરાશ અને ગઠિયામાં લાભકારી હોય છે. આવો જાણીએ તેના ફાયદા વિશે...

1. પ્રતિરોધક ક્ષમતા વધારો - અનાનસના સેવનથી પ્રતિરોધક ક્ષમતા વધે છે અને તેનાથી કોઈપણ પ્રકારની એલર્જી થવાનો ભય ઓછો થઈ જાય છે.

2. હાડકાં મજબૂત - તેમા મેગ્નેશિયમ ખૂબ પ્રચુર માત્રામાં જોવા મળે છે. જે હાડકાને મજબૂત અને શરીરમાં એનર્જીને બનાવી રાખવામાં મદદ કરે છે.

3. આંખો માટે લાભકારી - દરરોજ પાઈનેપલ ખાવાથી વધતી વય સાથે ઓછી થતા આંખોના તેજનુ સંકટ ઓછુ થઈ જાય છે.