આરોગ્ય@શરીર: ગરદન પર જામેલી ગંદકીને દૂર કરવા માટે આ ઉપાય અજમાવો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આપણે ત્વચાને સારી રાખવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે.જેમાં આપણે ઘણી વાર ત્વાચાને સારી રાખવા માટે તેમજ મેલને દૂર કરવા માટે કેમિકલયુક્ત દવાનો પણ ઉપયોગ કરતા હોય છે. મોટાભાગના લોકોની ત્વચા સુંદર હોય છે. પરંતુ તેમની ગરદન કાળી અથવા તો ગંદકી જમા થઈ જતી હોય છે. તો ગરદનને યોગ્ય રીતે સાફ કરવી ખૂબ જ જરુરી છે. ગરદન ઉપરાંત હાથ પગના કાંડામાં પણ ગંદકી જામેલી જોવા મળે છે.જેને આપણે ઘરે જ સરળતાથી દૂર કરી શકીએ છીએ.
નારિયેળ સાથે ગરદન પર જામેલી ગંદકીને ઘટાડવા માટે એક બાઉલમાં નારિયેળનું તેલ લો અને તેમાં લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને તમારી ગરદન પર 8-9 મિનીટ લગાવીને રહેવા દો. આ પેસ્ટ સુકાઈ જાય પછી તેને પાણીથી સાફ કરી લો.આ મિશ્રણને નિયમિત ગરદન પર લગાવવાથી ફાયદાકારક સાબિત થાય છે.
જો તમારા પાસે સમયનો અભાવ હોય તો તમે એલોવેરા જેલ અને નારિયેળ તેલને પણ મિક્સ કરીને ગરદન પર લગાવી શકો છો. આ પેસ્ટને તમે આખી રાત લગાવી રાખો છો. જેનાથી ગરદન પર જામેલી ગંદકી દૂર કરી શકાય છે. ગરદન પર જામેલી ગંદકી દૂર કરવા માટે બટાકાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને પણ લગાવી શકાય છે. જો તમે ઈચ્છો તો બટેટાનો રસ લગાવી શકો છો. આ મિશ્રણને કોટન વડે તમે ગરદન પર લગાવો અને થોડી વાર પછી ધોઈ લો.
ગરદનની કાળાશ દૂર કરવા માટે ચણાના લોટમાં અડધી ચમચી લીંબુનો રસ, એક ચપટી હળદર અને દૂધ અથવા ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. તેને ગરદન પર 15 મિનિટ સુધી લગાવો અને પછી ધોઈ લો. તમે એક ચમચી ખાવાના સોડામાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટને ગરદન પર લગાવો અને 10 મિનિટ સુધી રાખો. આ પછી, ગરદનને ભીના કપડાથી સાફ કરો. બેકિંગ સોડા ગળામાંથી ગંદકી અને મૃત ત્વચાના કોષોને દૂર કરે છે.