આરોગ્ય@ગુજરાત: નારંગીનો વધારે પડતા ઉપયોગ કરવાથી શરીરને મોટું નુકસાન થાય

  • આ બીમારીથી પીડિત લોકોએ ના ખાવી જોઇએ નારંગી
 
આરોગ્યઃ આ લોકો નારંગીનું સેવન વધુ પડતું કરે તો શરીરને નુકશાન પહોંચાડે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

  • કિડનીની સમસ્યા ધરાવતા લોકોએ સંતરાનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ
  • સામાન્ય વ્યક્તિએ દિવસમાં વધુમાં વધુ 2 નારંગીનું સેવન કરી શકાય

Side Effects Of Oranges: નારંગી એક સારુ સુપર ફૂડ છે. તેમાં સોડિયમ, પોટેશિયમ, આયર્ન અને વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે.

તેના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. પાચન તંત્ર પણ પુનઃસ્થાપિત થાય છે. શરીરની નબળાઈ દૂર કરે છે અને શરીરને હાઈડ્રેટ પણ રાખે છે. લોકો ખાટા-મીઠા સંતરા ખાવાનું પસંદ કરે છે કારણ કે તે સ્વાદ અને સ્વાસ્થ્યને લાભ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે સંતરા(નારંગી)નું સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે તેનું વધારે સેવન કરો છો તો તમારે કેટલીક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

નારંગી(સંતરા) ખાવાથી થતા નુકસાન
1. જે લોકો ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સની સમસ્યાથી પરેશાન છે, તેઓને નારંગી ખાવાથી પેટમાં બળતરા થઈ શકે છે, આવા લોકોએ વધુ નારંગી ખાવાનું ટાળવું જોઈએ.

2. જે લોકો સાંધાના દુખાવા અને આર્થરાઈટિસથી પરેશાન છે, તેમણે મર્યાદિત માત્રામાં નારંગીનું સેવન કરવું જોઈએ. કારણ કે નારંગીની અસર ઠંડી હોય છે, જેના કારણે દુખાવો અને સોજાની સમસ્યા વધી શકે છે.

3. કિડનીની સમસ્યા ધરાવતા લોકોએ સંતરાનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, નહીં તો તેની તમારી કિડની પર ખરાબ અસર પડી શકે છે.

4. નારંગીના વધુ પડતા સેવનથી હાર્ટબર્ન થઈ શકે છે. ખટાશ હોવાના કારણે તેમાં એસિડની માત્રા વધુ જોવા મળે છે, જેના કારણે શરીરમાં એસિડની માત્રા વધી જાય છે અને હાર્ટબર્નની સમસ્યા થાય છે.

5. નારંગીમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, પરંતુ વધુ પડતા ફાઈબરનું સેવન કરવાથી અપચો, પેટમાં ખેંચાણ અને ઝાડા થઈ શકે છે. સામાન્ય વ્યક્તિએ દિવસમાં વધુમાં વધુ 2 નારંગીનું સેવન કરી શકાય.

6. નારંગી એસિડિક પ્રકૃતિની હોય છે, તેથી નારંગીના વધુ પડતા સેવનથી પેટમાં બળતરા થઈ શકે છે.

7. વધુ પડતા સંતરા ખાવાથી તમારા દાંત બગડી શકે છે. દાંતનું રક્ષણ કરનાર ઈનામલ લેયરને નુકસાન થઈ શકે છે, તેના કારણે તમને ખાવા-પીવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી