ઘટના@નવસારી: પાણીની ટાંકી નજીક ખાડામાં પડી જતા બાળકીનું મોત
2 વર્ષીય બાળકનું મોત
Updated: Jul 2, 2024, 18:39 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. નવસારીના ઘેલખડી ખાતે આવેલા રામદેવ નગરમાં પાણીની ટાંકી નજીક ખાડામાં પડી જતા 2 વર્ષીય બાળકનું મોત થયું છે.
ઘરની સામે ખોદેલા ખાડામાં પડી જતા બાળક ડૂબી ગયો હતો. જેથી તેનું મોત થયું છે. બે મહિનાથી ખાડા ખોદીને રાખવામાં આવ્યો હતા.
વરસાદી પાણી ભરાઈ જતા એમાં ડૂબવાથી બાળકીનું મોત થયું છે.