બનાવ@ગાંધીનગર: સચિવાલયની બહાર એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, કયા કારણે આવું બન્યું ?
ઝાડ પર આપઘાત કરવા ચઢ્યો
Feb 22, 2024, 18:33 IST
![બનાવ@ગાંધીનગર: સચિવાલયની બહાર એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, કયા કારણે આવું બન્યું ?](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/8ea99f8ef02cec12c7585bd855a27805.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગર સચિવાલયની બહાર એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરવા યુવક સચિવાલય ગેટની બહાર એક વૃક્ષ પર ચઢી ગયો હતો. મહામહેનતે યુવકને ઝાડ પરથી નીચે ઉતારી લેવાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 10 વાગ્યાની આસપાસ એક યુવકે સચિવાલયની બહાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આપઘાત કરવા યુવક ઝાડ પર ચઢ્યો હતો. યુવકને જોઈ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
યુવકે ગળે ફાંસો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું તેને ફાયર વિભાગની ટીમ દ્વારા સલામત રીતે નીચે ઉતારી લેવાયો હતો. પ્રાથમિક તપાસમાં આ યુવક વલસાડનો હોવાનુ સામે આવ્યું છે. જમીનની બાબતે ઈસ્યુ હોવાના કારણે તે ઝાડ પર આપઘાત કરવા ચઢ્યો હતો.