બનાવ@બનાસકાંઠા: એસટી બસના ચાલકનો સ્ટીયરીંગ પર થી કાબૂ ગુમાવવાને લઈ અકસ્માતની ઘટના સર્જાઈ
પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ
Updated: Dec 15, 2023, 18:58 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠા જિલ્લામાં મોટી ઘટના સર્જાતી ટળી ગઈ છે. દાંતા નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો. એસટી બસને અકસ્માતના કોલને પગલે પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. અંબાજી કલોલ બસના એસટી બસના ચાલકનો સ્ટીયરીંગ પર થી કાબૂ ગુમાવવાને લઈ અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતુ.
એસટી બલ વીજ પોલને અથડાઈ હતી. જેને લઈ વીજ પોલને નુક્સાન થયુ હતુ, પરંતું મોટો અકસ્માત ટળી ગયો હતો. બસમાં 15 જેટલા મુસાફરો સવાર હતા. એસટી બસ વીજ પોલને અથડાઈ હોવાને લઈ દ્રશ્ય જોઈને જ પહેલા તો જોનારા ચોંકી ગયા હતા. પરંતુ મુસાફરો સલામત જોઈને રાહત અનુભવતા તમામને નીચે ઉતારાયા હતા.