બનાવ@વાંકાનેર: ટ્રક અને મોટર સાઈકલ સામ-સામે અથડાતા 1 નું મોત નીપજ્યું, જાણો વિગતે
![વાંકાનેરના મિલ પ્લોટ રેલ્વે ફાટક પાસે ટ્રકના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા તેને ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ વાંકાનેરની મિલ કોલોનીમાં રહેતા અમિતભાઈ દિલીપભાઈ પંડિયા(ઉ.૨૯) એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા દિલીપભાઈ મોટર સાઈકલ લઈને જતા હોય દરમિયાન મિલ પ્લોટ ફાટક પાસે પહોચતા ટ્રક જીજે ૦૩ બીવાય ૫૩૫૨ ના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવી ટ્રક પાછો પડતા દિલીપભાઈના મોટર સાઈકલ સાથે ભટકાતા દિલીપભાઈને ગંભીર ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/22edea58824a82c041cb9fdde40eef64.webp)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતની ઘટનો ખુબજ વધી ગઈ છે. વાંકાનેરના મિલ પ્લોટ રેલ્વે ફાટક પાસે ટ્રકના ચાલકે મોટર સાઈકલને હડફેટે લીધો. તેને ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરની મિલ કોલોનીમાં રહેતા અમિતભાઈ દિલીપભાઈ પંડિયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી. તેના પિતા દિલીપભાઈ મોટર સાઈકલ લઈને જતા હોય દરમિયાન મિલ પ્લોટ ફાટક પાસે પહોચતા ટ્રક જીજે ૦૩ બીવાય ૫૩૫૨ ના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવી ટ્રક પાછો પડતા દિલીપભાઈના મોટર સાઈકલ સાથે ભટકાતા દિલીપભાઈને ગંભીર ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.